SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ લલિત વિસ્તરા : (૧૦) “લાતાગ્ય’ પદ વ્યાખ્યાન વિવેચન કારણ જેગે છે કારણ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ...સંભવદેવ.” શ્રી આનંદઘનજી ઉપર જે ક્ષપશમરૂપ પ્રકાશભેદે દર્શનભેદની વાત સિદ્ધ કરી, તેની જ અત્ર ભાવના કરી છે–ફતરેતર દિ વસ્તુમra: ” ઈ. કારણ કે ઇતરેતરાપેક્ષ વસ્તુ સ્વભાવ છે અને તદાયત્ત (તેને આધીન) ફલસિદ્ધિ છે. અર્થાત ઇતરેતરાયેલી વસ્તુસ્વભાવઇતર–કારણવસ્તુસ્વભાવ ઇતરને-કાર્ય વસ્તુસ્વભાવને, અને કાર્ય વસ્તુ સ્વભાવ કારણવસ્તુસ્વભાવને અપેક્ષે છે, આશ્રય કરે છે, એ ઈતરાપેલી વસ્તુસ્વભાવ છે, કાર્યકારણરૂપ પદાર્થનું સ્વતત્વ છે; અને “તવાયત્તા જ સ્ટસિન્નિા તેને-કાર્યાપેક્ષ કારણુસ્વભાવને આધીન ફલસિદ્ધિ છે; જે પ્રકાશરૂપ કારણસ્વભાવ છે તેવું દર્શનરૂપ કાર્ય ઉપજે છે એમ ભાવ છે. એટલા માટે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લકને જ અધિકૃત કરી (ઓશ્રીને) પ્રદ્યોતકરે છે. “ફરજતુર્વા[વિણો જાધિકૃત્ય પ્રતવિરા; અર્થાત્ એટલા માટે આ સર્વ ન્યાયચર્ચા પરથી ફલિત થાય છે કે પ્રકાશભેદે દર્શનભેદરૂપ હેતુથકી ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લેકને જ--નહિં કે અન્ય વસ્થાનહીન કૃતલબ્ધિવંતને--અધિકૃત કરીને, આશ્રીને, ભગવંતો “પ્રદ્યોતક” છે. અને એમ આ ઉપરથી આ પણ ફલિત થયું કે -ભગવંતના પ્રજ્ઞાપનારૂપ પ્રદ્યોતથીપ્રકૃષ્ટ પ્રકાશથી જેણે સકલ અભિલા-કહી શકાય એ ભાવકલાપ પ્રતિપન્ન-ગ્રહણ કર્યો છે, એવા ગણધરે જ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદે હેય છે. ગણધરે જ કારણ કે ગણધરને જ ભગવંતની પ્રજ્ઞાપના થકી જ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદો પ્રકાશરૂપ પ્રદ્યોતના સંપાદનનું સામર્થ્ય છે માટે અર્થાત્ ગણધરે જ તે ભગવંતેને “પ્રદ્યોત—પ્રકૃષ્ટ પ્રકાશ પૂર્ણપણે ઝીલવાના પૂર્ણ પાત્ર (Receptacle) છે. ત્યારે એમ તે ગણધર શિવાય બીજાઓને ભગવતુવચન થકી અપ્રકાશ પ્રાપ્ત થાય છે, એમ જે શંકા કરે, તે તેમ નથી. કારણ કે ભગવત્વચનથી સાધ્ય એવા પ્રદ્યોતના એક દેશને એઓમાં ભાવ-હેવાપણું છે,–જેમ સર્વદિગપ્રકાશક પ્રકાશને પૂર્વ આદિ એક વા વધારે દિશામાં પ્રકાશભાવ હોય છે તેમ. પ્રદ્યોત્ય તે સપ્ત પ્રકારનું છવાદિ તત્ત્વ, એ સ્પષ્ટ કરે છે– प्रद्योत्यं तु सप्तप्रकारं जीवादितत्त्वं, सामर्थ्य गम्यमेतत्, तथाशाब्दन्यायात् । अन्यथा अचेतनेषु प्रद्योतनायोगः, प्रद्योतनं प्रद्योत इति भावसाधनस्यासम्भवात् । अतो ज्ञानयोग्यतैवेह प्रद्योतनमन्यापेक्षयेति । तदेवं स्तवेष्वपि एवमेव वाचकप्रवृत्तिरिति स्थितम् ॥१०२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy