SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ લલિત વિસ્તર: (૧૨) “જોવાદિષ્ણ:' પર વ્યાખ્યાન વિવેચન “ભવરગના વિદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિજિમુંદજી! દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિજિમુંદજી!”–શ્રી દેવચંદ્રજી - આ “ઈન્ટ”ની વ્યાખ્યા શી? તે અત્ર કહી છે–– ૪ સારા દિલૈ–ઈષ્ટ તે સપરિણામ હિત છે.” અર્થાત ઉત્તરોત્તર શુભ ફલને અનુબંધ કરનારૂં, શુભ ફલની અખંડ પરંપરા ચાલુ રાખનારું એવું જે સપરિણામ હિતરૂપ હય, પરિણામે પણ સુખદ હોય તે ઈષ્ટ. અત્રે દષ્ટાંત—અતિરેગીને સ્વાદુ–પથ્ય અન્નની જેમ. “દુનિયતિજિના” અતિરેગી એટલે જે રોગને લગભગ અતીત કરી, વટાવી જઈ લગભગ સાજો થઈ ગયેલે (Convalascent ) છે, તેને સ્વાદુ અને પથ્ય અને જેમ સપરિણામ હિતરૂપ હોય છે તેમ. અત્રે સ્વાદુ અને પથ્ય એ બને વિશેષણ સાર્થક ઇષ્ટ તે સપરિણામ હિત છે. સ્વાદુ એટલે જીભને ગમતું-પ્રસન્ન કરનારું, સ્વાદિષ્ટ અને અતિરોગીને પંથની જેમ સતત ઉલંઘ પડતે હેવાથી ભવિષ્યકાળ એ જ સ્વાદુ-પથ્ય અન્ન જેમ પંથ, તે પ્રત્યે જે રૂડું-ભલું તે પથ્ય, અર્થાત્ ભવિષ્યમાં પરિણામે પણ જે ગુણકારી તે પચ્ચ. આવું સ્વાદુ અને પથ્ય અન્ન અતિરેગને–સાજા રેગીને હિતરૂપ હોય છે, પણ અભિનવ-તાજા રોગીને તે અદિતં પચ્ચખાતુ આતુરમાં-ગાતુરમાં પચ્ચે પણ અહિત છે એ વચનથી પચ્ચ પણ હિંતરૂપ નથી. “ઈતિગી” એ પાઠમાં એવા પ્રકારે સ્વાદુ-પચ્ચ અન્નને રેગવાળાને એમ અર્થ કરે. અત્રે પથ્ય છતાં અસ્વાદુ હોય તે સુખહેતુ થતું નથી, પણ જિન્દ્રિયને પ્રસન્ન કરતું એવું સ્વાદુ હોય તે તત્કાલ (Immediately) પણ સુખહેતુ હોય છે, એટલા માટે સ્વાદુ” વિશેષણ ઈષ્ટ છે. અને સ્વાદુ છતાં અપથ્ય હોય તે પરિણામે (Ultimately, in the long run) સુખહેતુ હેતું નથી, પણ પચ્ચ હેય તે જ પરિણામે સુખહેતુ હોય છે, એટલા માટે “પ” વિશેષણ પણ ઈષ્ટ છે. આમ તત્કાલ અને ભાવિ પરિણામે ઈષ્ટ સુખલાભનું કારણ થતું હોવાથી સ્વાદુ–પષ્ય અન્નનું પણ ઉપચારથી ઈષ્ટપણું છે. કહ્યું છે કે –“કાર્ય ઈચ્છનારને અનંતર કારણ પણ ઈષ્ટ છે–જેમ આહારજન્ય તૃપ્તિ ઈચ્છનારને અહીં આહાર ઈષ્ટ છે તેમ.” આ દષ્ટાંતને ફલિતાર્થ એ છે કે–તત્કાલ ને પરિણામે સુખદ સ્વાદુ–પગ્ય અન્ન જેમ અતિરોગીને ઈષ્ટ છે, તેમ ત લ ને પરિણામે જે હિત હય, તે હિતક્રિયા જ હિતકર્તાને ઈષ્ટ છે. એથી ઉલટું તે અનિષ્ટ એમ વ્યતિરેકથી કથે છે– ११अतोऽन्यथा तदनिष्टत्वसिद्धिः तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वेन, अनागमं पापहेतोरपि पापभावात् । ९२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy