SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોકહિત કેવી રીતે હોય છે ? : પંચાસ્તિકાય અને આત્મહિત એમ પંચાસ્તિકાયમય છે. વસ્તુઅસ્તિસ્વરૂપ “અસ્તિથી અને પ્રદેશ મહત્વરૂપ “કાયથી આ પાંચ અસ્તિકાય કહેવાય છે; આ પ્રત્યેક અસ્તિકાય જેવદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી અતિ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી નાસ્તિ છે, એટલે એક અસ્તિકાય બીજા અસ્તિકાયના સ્વરૂપમાં અન્તઃપ્રવેશ કરતું નથી, પણ સ્વરૂપપ્રતિષ્ઠાપક અગુરુલધુ ગુણથી પિતપોતાના સ્વસ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત રહે છે. આ પાંચ અસ્તિકાય મળે ધર્માસ્તિકાય આદિ પ્રથમ ચાર અજીવ-અચેતન છે, એક જીવ એ જ ચેતન છે; અજીવમાં ધર્મ-અધર્મ–આકાશ અને જીવ એ ચાર અમૂર્ત–અરૂપી છે, એક પુદ્ગલ જ મૂર્ત-શબ્દ-રસ-રૂ૫–ગંધ-સ્પર્શ મય રૂપી છે. આમ આ પંચાસ્તિકાય મધ્યે અજીવથી આ જીવ વિશિષ્ટ એવા સ્વ ચેતનલક્ષણથી પ્રગટ ભિન્ન છે. આમ નિશ્ચયતત્વથી વસ્તુસ્વરૂપના ભેદજ્ઞાનરૂપ સમ્યગ્ગદર્શન જે કરે છે તે ભાવે છે કે–અત્રે ધર્મ, અધર્મ ને આકાશ એ અચેતન વિજાતિ હોવાથી ચેતન આત્માને અગ્રાહ્ય છે–પ્રહણ કરવા યોગ્ય નથી, અને પુદ્ગલ બ્રહવાથી કર્મકલંકતા પંચાસ્તિકાય અને ઉપજે છે અને આત્મસ્વરૂપને બાધક એ બહા ભાવ વધે છે, આત્મહિત એટલે આત્મસ્વરૂપને હાનિ કરનાર તે પુદ્ગલ તે અત્યંત હેય છે. અને ચેતન જીવમાં પણ જે રાગી જીવે છે તેના સંગે રાગદશા વધે છે, ને તેથી ભવભ્રમણરૂપ સંસાર થાય છે, માટે તેને સંગ પણ વજ છે પણ નિરાગી વીતરાગ સાથે રાગ જોડવાથી ભવને પાર થાય છે, માટે એ લેકહિતરૂપ વીતરાગ આત્મા જ પરમ આદેય છે, કારણ કે તેના વિનય-ભક્તિ આદિરૂપ સંગથી આત્માના અપ્રશસ્ત ભાવ ટળી પ્રશસ્ત ભાવ વધે છે, અને એમ કરતાં નવાં કર્મના આગમનરૂપ આશ્રવ નષ્ટ થઈ શુદ્ધ આત્મભાવરૂપ સંવર વધે છે ને નિર્જરા સધે છે, આમ આત્મભાવ પ્રકાશિત થઈ લેકહિત વીતરાગ પુષુના એકત્વ ધ્યાને નિજ તત્વમાં એકતાન બની શુકલ ધ્યાનની શ્રેણીએ ચઢતાં પૂર્ણ આત્મસ્વભાવરૂપ મોક્ષ પ્રગટે છે. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યો; પુદ્ગલ હવે રે કર્મકલંકતા, વધે બાધક બાહ્યોજીનેમિ જિસર. રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારીજી; નિરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવને પારજીનેમિ. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસે; સંવર વધે રે સાધે નિજારા, આતમભાવ પ્રકાશે....મિ. નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્તવે એકતાને; શુલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુક્તિ નિદાનેજી” શ્રી દેવચંદ્રજી ઈત્યાદિ પ્રકારે વિવેક ભાવનાથી અન્ય અસ્તિકાથી આત્માના તરવથી ભિન્નપણાનું સમ્યગદર્શન કરી, તત્વથી તેવું ભિનપણું પ્રગટે ને ભાવિકાળે તેને બાધા ન આવે એવી પ્રરૂપણુચેષ્ટા--પ્રરૂપણું આચરણ જે કરે છે, તે તત્વથી તે પંચાસ્તિકાયાત્મક લેક પ્રત્યે હિત એવા લોકહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy