SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચેતન વસ્તુ સ્વસ્વભાવમાં વર્તે તે તે ધર્મ અને પરભાવ-વિભાવમાં વ તે તે અધમ. અને પોતે તે ચેતનમય આત્મા છે, એટલે આ વસ્તુધર્મની વ્યાખ્યા પ્રમાણે આત્મા પિતાના ચેતનમય-જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં વત્તે તે જ ધર્મ, એવી “ધર્મ' શબ્દની મુખ્ય વ્યાખ્યા છે. આ આત્મધર્મ એ જ વાસ્તવિક સનાતન ધર્મ છે; સનાતન એટલે શાશ્વત-સદા સ્થાયી રહેનાર, અને ધર્મ એટલે વસ્તુને સ્વભાવ, એટલે આત્મા સનાતન– શાશ્વત વસ્તુ હેઈ આ આત્માને જે વસ્તુવભાવરૂપ ધર્મ–આત્મધર્મ એ જ સનાતન શાશ્વત ધર્મ છે. અને તે આત્મસ્વભાવ ધર્મ પામે એ જ ધર્મ છે, ધર્મનું સાધ્ય પણ એ “ધર્મ” જ છે, અર્થાત્ સ્વભાવમાં વર્તવું, સ્વરૂપને સાધવું એ જ સર્વ ધર્મોનું અને સર્વધર્મસાધનેનું એક માત્ર સાધ્ય છે. આમ પરમાર્થ કહે કે ધર્મ કહે, બન્નેનું સાધ્ય એક શુદ્ધ આત્મા જ છે, સર્વ પરભાવ-વિભાવના સ્પર્શલેશથી રહિત એવે શુદ્ધ સ્વભાવ જ છે, સહજ એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં–સહજાત્મસ્વરૂપમાં સ્થિતિ એ જ છે. એટલે સર્વથા સ્વરૂપ એ જ એક નિશ્ચય સાધ્ય ધ્યેય ફલિત થાય છે. બાકી આ પરમાર્થરૂપ કે વાસ્તવિક ભાવધર્મરૂપ સાધ્યના લક્ષ્ય વિના પરમાર્થને નામે કે ધર્મને નામે જે કાંઈ ચાલતું હોય તે વાસ્તવિક પરમાર્થ નથી કે વાસ્તવિક ધર્મ નથી. “ધરમ ધરમ કરતે સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હે મર્મ” એ શ્રી આનંદઘનજીના અમર શબ્દમાં કહ્યા પ્રમાણે આખું પરમ નિધાન પ્રગટ જગત “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ આ ધર્મના મર્મને મુખ આગળ જાણતું નથી. આ ધર્મ તે પિતાના આત્મામાં જ રહ્યો છે અને તેમાંથી જ આવિર્ભત–પ્રગટ કરવાને છે, અથવા આ આત્મા પોતે જ ધર્મસ્વરૂપ છે, એનું જગને ભાન નથી, અને અંતર્મુખ અવલોકન કરવાને બદલે અહીંથી મળશે કે તહીંથી મળશે એમ વ્હાર તે ધર્મની શેધમાં નીકળી પડ્યું છે. કસ્તુરી પિતાની નાભિમાં છે, છતાં કસ્તૂરીમૃગ તેની ધમાં હાર ભમે છે, તેના જેવું મૂહ આચરણ કરી રહ્યું છે. “પરમ નિધાન પ્રગટ મુખ આગળ પડે છે છતાં તેને ઉલંઘીને પેલા મૂર્ખ બ્રાહ્મણે જેવી ચેષ્ટા કરી રહ્યું છે! તે બ્રાહ્મણે નીકળ્યા હતા તે ખજાનાની ધમાં, પણ જ્યાં ખજાનાવાળી જગ્યા આવે છે ત્યાં “આંધળા કેમ ચાલતા હશે?” તે અજમાવી જેવાને તુકકો તેમના મનમાં ઊઠયો. એટલે આંખ મીંચીને ચાલતાં તેઓ તે ખજાનો ઉલ્લંઘી ગયા! અને તેનું તેમને ભાન નહિં હોવાથી તેઓ હજુ તેની શોધમાં આગળ ને આગળ દેડ્યા જાય છે. તેમ આ જગત પણ–પરમ ગુણરત્નના નિધાનરૂપ આ ધર્મમૂત્તિ આત્મા પ્રગટ મુખ આગળ રહ્યો છે છતાં–તેને ઉલંઘીને મ્હાર ધર્મની શોધ કરવા નીકળી પડ્યું છે ! ખરેખર! જગદીશ-જગપતિ એવા પરમાત્મતત્વની તિના પ્રકાશ વિના આ જગત્ અંધની પાછળ અંધ પલાયન કરતા હોય, એવી ચેષ્ટા કરી રહ્યું છે! આમ જે “Within” (અંદર) છે તે “Without” (બિહાર) શોધવા જાય છે, એટલે તે “without' ને “Without' (વિહેણું, વંચિત ને વંચિત, આત્મબાહ્ય) જ રહે છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy