________________
૧૪૬
લલિત વિસ્તરો : (૭) “પુસદૈઋ: પદ વ્યાખ્યા
યોગ્ય માનવામાં આવે છે, તેના નિરાકરણાર્થે અત્ર “guસભ્ય:બાહ્ય અર્થ સાથે પુરુષસિંહને એ વિશેષ પદ મૂકયું છે. કારણ કે વાસ્તવિક રીતે સંવાદી તે જ સત્ય, તે સભ્ય શુભ ભાવમાં પ્રવર્તાવનારું અને અશુભ ભાવથી નિવએમતનું નિરસન સ્તવનારૂં એવું જે સત્ય વા અસત્ય વચન હોય, તે નિશ્ચયથી–
પરમાર્થથી સત્ય છે. પણ તેને નિષેધ કરતાં સાંકૃત્ય એટલે કે સાંકત” નામના વાદવિશેષના શિષ્ય એમ વદે છે કે—–બાહ્ય અભિધેય અર્થ સાથે સંવાદી–સંવાદ પામતું, મેળ ખાતું એવું અવ્યભિચારી તે જ વ્યવહારરૂપ સત્ય છે. કારણ કે સિંહ, પુરીક આદિના સદશ્યનું અલીકપણું–-અસત્યપણું-બેટાપણું હોવાથી તે તે ઉપમાનું વૈતથ્ય-વિતથપણું–બેટાપણું છે, એટલે કામાંધતા -ઉપમાના વિતપણાથી એ ભગવંતે નિરુપમ હોવાથી ઉપમા રહિત સ્તવને જ યોગ્ય છે – નિપજતવા પર, હીન–અધિકથી ઉપમા મૃષા' છે એ વચન છે, માટે, ઢીના ધાખ્યામુvમ કૃતિવચનાત. અર્થાત્ જેને ઉપમા આપવામાં આવે છે તે ઉપમેયથી હીન–નીચીઉતરતી ઉપમા જે આપવામાં આવે, તે તે ઉપમેયને યથાર્થ ભાવ નહિં દર્શાવતી હોવાથી મૃષા–બેટી છે; અને ઉપમેયથી જે અધિક–ચઢીયાતી ઉપમા આપવામાં આવે, તો અતિશક્તિરૂપ હોવાથી તે પણ મૃષા-ખોટી છે. આમ બાહા અર્થ સાથે સંવાદી–મેળ ખાય તે જ સત્ય એમ વદનારા આ સાંકૃત્યેના વ્યવ છેદ અર્થે અહીં “પુરુષસિંહોને ” એ ખાસ પદ કહ્યું છે.
આ ભગવંતે પુરુષસિહે કેવા પ્રકારે છે? તે પ્રદર્શિત કરે છે–
"पुरुषाः प्राग्व्यावर्णितनिरुक्तास्ते सिंहा इव प्रधानशौर्यादिगुणभावेन ख्याताः पुरुषसिंहाः।
ख्याताश्च कर्मशवन् प्रति शूरतया, तदुच्छेदन प्रति क्रौर्यण, क्रोधादीन् प्रति असहनतया, रागादीन् प्रति वीर्ययोगेन, तपःकर्म प्रति वीरतया।
अवज्ञैषां परीषहेषु, न भयमुपसर्गेषु, न चिन्ताऽपीन्द्रियवर्ग, न खेदः संयमाध्वनि, निष्पकम्पता सद्धधान इति । ६७
અર્થ :–પુરુ–પૂર્વે વ્યાવણિત નિરક્તવાળા (વ્યુત્પત્તિવાળા) તેઓ, સિંહ જેવા પ્રધાન શૌર્યાદિ ગુણભાવથી ખ્યાત, તે પુસિંહ.
અને કર્મશત્રુઓ પ્રતિ શુરતાથી, તેઓના ઉછેદન પ્રતિ ક્રૂરતાથી, ક્રોધાદિ પ્રતિ અસહનતાથી, રાગાદિ પ્રતિ વિયોગથી, તપ કર્મ પ્રતિ વીરતાથી તેઓ ખ્યાત છે.
પરીષહમાં એઓને અવજ્ઞા છે, ઉપસર્ગોમાં ભય નથી, ઈન્દ્રિયવર્ગમાં ચિંતા પણ નથી, સંયમમાર્ગમાં ખેત નથી, સદ્ધયાનમાં નિષ્પકમ્પતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org