________________
૧૦૫
કેવલશ્રીરૂપ ભગઃ પરમધમરૂપ ભગ એટલે લાગ જોઈને અપ્રમાદ ધનુધરે આત્મજાગતિરૂપ બાણ તાકીને તે મોહના મર્મસ્થાનમાં માર્યું, એટલે તે મેહ મૂચ્છિત થઈને ધરણ પર ઢળી પડ્યો. પણ શત્રુને વિશ્વાસ છે? માટે મૃતપ્રાય છતાં સંવલન કષાયથી જરાક સંજવલી રહેલે આ મહામહ મહાશત્રુ કદાચને પાછો ઉછળે એમ જાણી, એને ક્ષય કર્યા વિના જરાય રેઢા ન મૂકવે, એમ સતત અપ્રમત્તપણે જાગતા રહી આ ભગવંત અપૂર્વકરણે અપૂર્વ આત્મસામગથી મોહને ખતમ કરવા માટે ક્ષપકશ્રેણીરૂપ ગજ પર આરૂઢ થયા અને તેના ૮–૯–૧૦–૧૨ એ ગુણસ્થાનરૂપ ચાર પગ તળે તે મેહના સંવલન–નેકષાયાદિ રહ્યા સાા અવશેષને છુંદી નાંખી, આ આત્મપરાક્રમી વીરે મેહને રત્નત્રયી ત્રિશૂલથી મારી નાંખ્યો.
આમ કમને અન્નદાતા અને જગત્રય પર એકછત્રી રાજ્ય ચલાવનારે મહામોહ ચકવત્તી મરા, એટલે પછી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ને અંતરાય એ બાકીના ત્રણેય ઘાતિ મહારથી પણ તક્ષણ જ ટપોટપ પડયા. એટલે આવા શત્રુસંહારથી ત્યારે જેવું આત્માનું આત્મસ્વભાવરમણતામય ચારિત્ર ખ્યાત છે અથવા જ્ઞાનિઓથી આખ્યાત છે તેવું “યથા ખ્યાત” ચારિત્ર તેમને પ્રગટ્યું, અને આમ પરમ સુખમય-આનંદઘનમય આત્મસ્વરૂપમાં પ્રતપનથી આ પરંતપ ભગવંતનું અનુપમ સ્વરૂપ તેજ પ્રતાપી રહ્યું. અને આ ભગવંતના આવા અપૂર્વ આત્મપરાક્રમથી રીઝી કેવલશ્રીએ આવી આ શ્રીમદ્ ભગવંતના કંઠમાં વિજય માલ આપી અને ભાલમાં ત્રિભુવનસ્વામીપણુનું તિલક કર્યું.
ધર્મમૂર્તિ ભગવંતનું પરમ ધર્મરૂપ ભગ પ્રકારે છે–
१७धर्मस्तु-सम्यग्दर्शनादिरूपो दानशील-तपोभावनामयः साश्रवानाश्रवो महायोगात्मकः।२
અથ –ધર્મ તે સમ્યગદર્શનાદિરૂપ, દાન-શીલ-તપ-ભાવનામય, સાથવ-અનાશ્રય મહાગાત્મક એ.
વિવેચન “શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંયડી જ્યાં પડે, તે પરસમય નિવાસ રે...
ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી આ ભગવંતેનું ધર્મરૂપ “ભગ” પણ સમગ્ર છે. ભગવંતને આ ધર્મ (૧) સમ્યગ્ગદર્શનાદિરૂપ, (૨) દાન-શીલતપ-ભાવનામય. (૩) સાથવ-અનાશ્રવ મહાગાત્મક છે. તે આ પ્રકારે–
આ ભગવંતને જે “ નાજિ :' સમ્યગ્ગદર્શનાદિરૂપ નિઃશ્રેયસ્ ધર્મ છે, તે ક્ષાયિકભાવે છે. એટલે ક્ષાયિક સમ્યગ્રદર્શનને લીધે સ્વપરભેદવિજ્ઞાન જે તેમને ઉપજયું ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org