________________
લલિત વિસ્તરા : (૧) “નમોગ્ય: પદ વ્યાખ્યાન આમ ઈચ્છાચોગશાસ્ત્રોગ-સામર્થ્યયોગનું દિગ્દર્શન કરી, તેમાં પ્રસ્તુત ભાવનમસ્કારની ઘટના અન્ય આચાર્યો કેવા પ્રકારે કરે છે તે અત્ર દર્શાવ્યું છે. કારણકે
“નમોજ: એ પદમાં સામાન્યથી ભાવનમસ્કાર કહ્યો છે એમ વિવક્ષાવશે પ્રથમ પિતાને અભિપ્રાય વ્યક્ત કરી, આચાર્યશ્રી હરિભદ્રજીએ ભાવનમસ્કારની પછી “જો તુ” એમ કહી “બીજા” આ પાર્યોને અભિપ્રાય ઈચ્છાગ સેંધવા માટે આ ઉપક્રમ કર્યો છે એટલે તેઓના અભિપ્રાય શાસ્ત્ર વિવક્ષાવશે આ નમસ્કારની ઈચછાયોગાદિમાં ઘટના કેવી રીતે કરી સામર્થગમાં શકાય છે તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં–(૧) “નમર્દ – ઘટના “અહં તેને નમસ્કાર હે!” એ પદ વડે ઈચ્છાયોગનું કથન છે.
(૨) “નમો ના વિમા ”—જિનેને જિતભાને નમસ્કાર હે !” એ પદથી શાસ્ત્રયોગનું કથન છે. (૩) અને “ઘર જમુને ” ઈત્યાદિ પદથી સામયોગનું કથન છે; અને એમ એક પણ નમસ્કારથી સંસારતરણ તે કારણમાં કાર્યના ઉપચારથી છે. “સંતરતર સામાનરતરે” અર્થાત્ સામર્થ્યયોગ શિવાય સંસાર તરાતે નથી, એટલે સંસારસાગરથી તારવાને સમર્થ એ કઈ પણ એક નમસ્કાર હોય તે તે સામર્થ્યયોગ જ છે, સામયોગની દશારૂપ ઉત્કૃષ્ટ ભાવનમસ્કાર જ છે.
આમ અન્ય આચાર્યોના અભિપ્રાયે કથંચિકોઈ અપેક્ષાએ આ નમસ્કારની વિભાગરૂપ યોજના કરી છે, તે એકાંતિક નથી, ને તે ઉપરથી એમ પણ નથી સમજવાનું કે એમ નમસ્કાર ઉચ્ચારણ માત્રથી તેવા પ્રકારને નમસ્કાર થઈ જાય છે, પણ તથારૂપ ઈચ્છાયોગની યથાત ગુણલક્ષણવાળી “તત્વધર્મ વ્યાપારરૂપ” દશા હોય તે ઈચ્છાગને – ઈછાયોગની કેટિને ભાવનમસ્કાર હોય છે. શાસ્ત્રયોગની યક્ત ગુણલક્ષણવાળી દશા હોય તે તે શાસ્ત્રયોગને-શાસ્ત્રયોગની કેટિને ભાવનમસ્કાર હોય છે, અને સામર્થ્યયોગની યક્ત ગુણલક્ષણવાળી દશા હોય તો તે સામયોગને-સામર્થ્યાગની કેટિને ભાવનમસ્કાર હોય છે. એટલે ઉત્તરોઉત્તર ભાવની તરતમતાવાળા આ ત્રણે ભાવનમસ્કાર પ્રકાર આત્મભાવરૂપ હાઈ આત્માની તથારૂપ દશાને આધીન છે, એમ આશય અન્ન સમજાય છે.
પ્રતિભા જ્ઞાન અંગે શંકા સમાધાન કરે છે–
१°आह-अयं 'प्रातिभज्ञानसङ्गत' इत्युक्तं, तत्किमिदं प्रातिभं नाम ? असदेतत् , मत्यादिपञ्चकातिरेकेणास्थाश्रवणाद् ।
उच्यते-चतर्ज्ञान प्रकोत्तरकालभावि केवलज्ञानादधः तदुदये सवित्रालोककल्पमिति न मत्यादिपञ्चकातिरेकेणास्य श्रवण, अस्ति चैतद्, अधिकत्वावस्थोपपत्तेरिति एतद्विशेष एव प्रातिभमिति कृतं विस्तरेण । २९
* આમ આચાર્યવર્ય હરિભદ્રજીએ આ સામાન્યપણે ભાવનમસ્કાર છે એમ પિતાને અભિપ્રાય વ્યક્ત કરી, “ જો ત’ એમ કહી અન્ય આચાર્યોને અભિપ્રાય નાંખ્યો છે. એટલે અમુક નમસ્કાર ઈરછાયોગને જ કે અન્ય યોગને જ લગતો છે એમ એકતિ આગ્રહરૂપ કથન કરી ન શકાય; છતાં સમજોરથી કે અસમંજસ ભાવથી કઈ અન્યથા સમજે તે તે શાસ્ત્રકારના આશયને અનુરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org