SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છ મહિનામાં પરિપૂર્ણ કર્યું. તેના કુલપરિપાકરૂપ આ ગ્રંથ સુજ્ઞ ગુણજ્ઞ વિવેકી તત્વરસિક વાચકવૃન્દના કરકમલમાં આવે છે. શ્રી જૈન એસેશિએશન ઓફ ઈન્ડિઆ'ની પ્રથમથી જ આ ગ્રંથ પ્રકાશનને લાભ લેવાની પૂરેપૂરી ભાવના અને સુદઢ નિર્ણય હેઈ, ઉક્ત સંસ્થાના અને મહારા પિતાના સંયુક્ત પ્રકાશક પણ નીચે આ ગ્રંથ અત્રે પ્રકાશ પામે છે. ઉક્ત સંસ્થા મહારા આ કાર્યમાં રસ દાખવી, શ્રી હરિભદ્રસૂરિજીની આ ખ્યાતનામ કૃતિ પ્રસિદ્ધ કરવામાં જે પ્રશસ્ત ભક્તિભાવથી ઉલટ ધરાવી આ પ્રકાશનશ્ચયની મહારી સાથે ભાગીદાર બની છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે, અને પ્રસ્તુત સંસ્થાને આ પ્રશસ્ત ભગવદ્ભક્તિમય સતકાર્યમાં પ્રેરણાનું મુખ્યપણે નિમિત્ત બનનાર તેના માનદ્ મંત્રીએ–સદ્ધર્મપ્રેમી ભાઈ શ્રી હીરાલાલ હાલચંદ દલાલ બા–એટ–લે તથા ભાઈ શ્રી પદમશી દામજી ના સેલિસિટર પણ તેવા જ ધન્યવાદને પાત્ર છે. અત્રે પ્રેસની બેઠવણ અંગે પરમાર્થ સનેહી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદુભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરું છું. તેમજ મેં ખાસ પ્રયત્નપૂર્વક જેલી આ ગ્રંથની સારસર્વસ્વભૂત-હૃદયરૂપ આકૃતિ જે મુખપૃષ્ઠ પર મૂકેલી છે, તેને કલાકૃતિમય બ્લેક તૈયાર કરી આપવા માટે કલાકાર ભાઈ શ્રી દિનકરરાય ભોગીલાલ મહેતાને પણ આભાર માનું છું. આ ગ્રંથની બીજભૂત વસ્તુને કંઈક નિદેશ મહારા ઉદ્દઘાતમાં કર્યો છે, તેમજ સ્વયં હરિભદ્રસૂરિએ કરેલી આ ગ્રંથની પ્રસ્તાવના--જેના પર આ વિવેચકે સવિસ્તર વિશિષ્ટ વિવેચન કર્યું છે (પૃ. ૧-૬૮) તે પરથી પણ તેને નિર્દેશ મળી ગ્રંથવસ્તુ: “તત્વભકત રહેશે અને વિષયાનુક્રમણિકા પ્રત્યે દષ્ટિપાત કરતાં આ ગ્રંથમાં ભવિક સકલ રચે કયા કયા વિષયે ચર્ચવામાં આવ્યા છે, તેને પણ કંઈક ખ્યાલ આવશે. એટલે અત્રે ચર્ચિત કરેલા વિવિધ તત્વવિષેના વિશેષ વર્ણનથી તત્તરસિક વાંચકના રસપ્રવાહની આડે નહિં આવતા, મહારા વિવેચનાંતર્ગત વિશિષ્ટ રસપ્રદ વિષયેની સૂચિ પ્રત્યે અંગુલિનિર્દેશ માત્ર કરૂં છું; અને અત્રે બા સ્વાધ્યાયમય યથાશક્તિ મૃતભક્તિ સાથે પ્રભુભક્તિ દાખવવાને “અપૂર્વ અવસર” મને પ્રાપ્ત થયે તેથી નિજ ધન્યતા અનુભવી, ભક્તિરસ જાહ્નવીમાં નિમજજન કરી તત્ત્વસુધારસપાનને રસાસ્વાદ લેવાનું પ્રત્યેક તત્ત્વરસિક સજ્જનને સપ્રેમ આમંત્રણ કરૂં છું. ભલું થયું મેં પ્રભુગુણ ગાયા, રસનાને ફલ લીધે રે, દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મરથ સીધે રે.” શ્રી દેવચંદ્રજી સંવત્સરી, ર૦૧૫ ] ૫, પાટી રેડ, છે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા મુંબઈ ૭. એમ. બી. બી. એસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy