________________
લલિત વિસ્તર: (૧) “નમોન્ગ:' પદ વ્યાખ્યાન
વિવેચન “એક પરમાણ માત્રની ન મળે સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે અપૂર્વ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી આમ “યોગ સંન્યાસ” નામને સામર્થ્યયોગ શેલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં કહ્યું. તેમાં મન-વચન-કાયાના યોગને અભાવ હોય છે, નિરોધ કરવામાં આવે છે, એટલે તે “અયોગ” કહેવાય છે, અને આ “અગ” એગ સર્વ યોગમાં પરમ છે, પ્રધાન છે, કારણ કે તે “મોલેજ ચોકનાટ્ટુ : મેક્ષ સાથે સાક્ષાત્ યોજન કરાવનાર એ ખરેખરા અર્થમાં “યોગ” છે, અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં અધર્મસંન્યાસ કે ધર્મસંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે. એટલે આ અયોગ પરમ શ્રેષ્ઠ યોગ છે.
અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડેલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચેતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજત્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજાન્મસ્વરૂપ પદને શ્રી સર્વ દેવે જ્ઞાનમાં દીઠું છે, પણ તે શ્રી ભગવાન પણ તેનું સ્વરૂપ વર્ણવી શકતા નથી, તે સ્વરૂપનું વર્ણન અન્ય વાણી તે કેમ કરી શકે? તે જ્ઞાન તે માત્ર જ્ઞાનીને અનુભવગમ્ય છે.
જ પદ દીઠું શ્રી સર્વ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.
અપૂર્વ અવસર.” શ્રીમદ્ રાજચંદ્રજી
આદિ શબ્દથી–
" एतत्त्रयमनाश्रित्य, विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्ते, अष्टौ सामान्यतस्तु ता:॥ मित्रा ताराबला दीप्रा स्थिरा कान्ता प्रभा पराः। नामानि योगदृष्टीनां, लक्षणं च निवोधत ॥”
इत्यादि ग्रन्थो (योगदृष्टिसमुच्चये २२-२३) दृश्यः। (અર્થાત) એ ત્રણને આધ્યા વિના, વિશેષથી તજજન્ય;
યોગ દષ્ટિ કહું આઠ તે, સામાન્ય થકી મન્ય. મિત્રા તારા ને બલા, દીકા સ્થિરા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ.
ગદષ્ટિના નામ એ, અર્થતણે અનુસાર, લક્ષણ તેનું સાંભળે, હવે અહીં ક્રમવાર.
(કાવ્યાનુવાદ-ભગવાનદાસકૃત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org