SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ લલિત વિસ્તરા : (૧) ‘નમોĒતુમ્ય:’પદ્મ વ્યાખ્યાન આ અપૂર્વકરણ એટલે શું ? ‘અપૂર્વ' એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયા નથી એવા શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે પ્રથિભેઢનું ફળ સમ્યગ્દર્શન છે, જેના પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકચ એ પાંચ લિંગ-પ્રકટ ચિહ્ન છે. પશ્ચાતુપૂર્વીથી જે સુંદર છે અથવા જેને લાભ થાય છે એવા આ પાંચ લક્ષણવાળુ' સમ્યગ્ શન જીવને પહેલા અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયે સાંપડે છે. અને પછી ક સ્થિતિમાંથી સખ્યાત સાગરોપમ વ્યતીત થયે, આ બીજી અપૂર્વ કરણ-અપૂ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાત્ત્વિક ધર્મ સન્યાસ યોગ ક્ષકશ્રેણીમાં ચઢતા સામર્થ્ય યોગીને હાય છે; કારણ કે તે ક્ષપક યોગી ક્ષમા વગેરે ક્ષયોપશમરૂપ ધર્મોથી નિવત્યાં છે, અને ક્રોધાદિ કષાયરૂપ સર્વ કપ્રકૃતિને જડમૂળથી ખપાવવારૂપ ક્ષાયિકભાવ ભણી પ્રવર્તો છે. અને આવા જે ક્ષાયોપથમિક ધર્મના ત્યાગ કરવારૂપ ‘ધર્મ સન્યાસ ’ નામના સામયાગ છે, તે જ ખરેખરા તાત્ત્વિક પારમાર્થિક હું ધર્માંસન્યાસ ચેગ ’ છે. અતાત્ત્વિક ‘ધર્મ સન્યાસ' તે પ્રવજ્યા-દીક્ષા અવસરે પણ હાય છે, કારણ કે જેમાં (સાવદ્ય) પ્રવૃત્તિરૂપ ધર્મોના સન્યાસત્યાગ હાય છે, તે નિવૃત્તિરૂપ પ્રવ્રજ્યા દીક્ષા કહેવાય છે. પાપામાંથી પ્રકર્ષે કરીને શુદ્ધ ચરણુયાગમાં વ્રજન-ગમન તે ‘પ્રવ્રજ્યા' છે; વિષયકષાયાદિ દુષ્ટ ભાવાનું મુંડન-હેાલક્રિયા તેનું નામ ઢીક્ષા’ છે. આ પ્રજ્ઞયા ( દીક્ષા—સન્યાસ) જ્ઞાનયેગના અંગીકારરૂપ છે, એટલે તે ગ્રહણ કરવાને ચાગ્ય પાત્ર પણ શાસ્ત્રાક્ત ઉત્તમ વિશિષ્ટ લક્ષણુસપન્ન હોવા જોઈ એ. આવી જ્ઞાનયોગપ્રતિ પત્તિરૂપ પ્રત્રજ્યા સમયે અતાત્ત્વિક ધ સન્યાસ હોય છે; અને ક્ષષકશ્રેણીમાં તાત્ત્વિક ધર્મ સન્યાસ હાય છે,——જેના યોગે ક્ષાશરૂપ ધર્માંતુ ક્ષપણુ કરતા કરતા, ક પ્રકૃતિને સથા ખપાવતા ખપાવતા સામયોગી ૮–૯–૧૦--૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમા સયેાગી કેવલિ ગુણુસ્થાને પહેાંચી ‘નિજ કેવલજ્ઞાન નિધાન’ પ્રગટાવે છે. તાત્ત્વિક' ધર્મ સન્યાસ યોગ યોગસન્યાસ યોગ અને ખીજે જે ‘ચેાગસન્યાસ' નામના સામર્થ્ય યોગ છે તે આયોન્યકરણની પછી હાય છે. અચિત્યવીર્ય પણાએ કરીને, અસાધારણ આત્મસામર્થ્ય થી કેવલી ભગવાન્ સમુદ્ધાત કરે છે, તે પહેલાં આયેાજ્યકર્ણ કરે છે. એટલે કે આ છેલ્લા ભવમાં ભાગવવાના—ભવાપગાહી જે આ કી રહેલા વેદનીય વગેરે ચાર કર્મ છે, તેમાં જો વેઢનીય વગેરેની સ્થિતિ આયુશ્ય કરતાં વધારે હાય, તેા તેને સમ-સરખી કરવા માટે કેવલી ભગવાન ઉદીરણા આલિમાં નાંખવારૂપ આયે ન્યકરણ કરે છે,---કે જેથી કરીને સમુદ્ધાત વડે તે તે કર્માને જલદી ખપાવી દઈ સરખી સ્થિતિમાં લાવી મૂકાય. આવુ આયોન્યકરણ કરીને કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે. આ કેલસમુદ્ઘાતમાં આત્મપ્રદેશના વિસ્તાર કરી—વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશ વડે આખા લેક દડ—કપાટ-પ્રતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy