SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧) નમો : 'પદ વ્યાખ્યાન સામર્થગના ભેદ કહી બતાવવા માટે કહે છે– द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञित:। क्षायोपशमिका धर्मा योगा: कायादिकर्म तु ॥ ७ ॥ એહ સામર્થના , પ્રકાર છે આ ખાસ; પહેલે ધર્મસંન્યાસ ને, બીજે સંન્યાસ. ક્ષાપશમિક હેય જે, ધર્મો તેહ કહાય; કાય આદિનું કર્મ તે, ગે અત્ર કથાય. અર્થ:–સામર્થ્યોગ, ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવી સંજ્ઞાઓ (યથાર્થ નામે) કરીને બે પ્રકારનો છે. ક્ષાપશમિક (ક્ષયોપશમભાવથી ઉપજતા તે ધર્મો છે. અને કાય વગેરેનું ‘કર્મ? તે યોગે છે. વિવેચન વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો, જગજીવન જિન ભૂપ; અનુભવ મિત્તેર હિત કરી, દાખ્યું તાસ સ્વરૂપ...વીર.” શ્રી આનંદઘનજી આ સામયોગની બે ભેદ છે– (૧) “ધર્મસંન્યાસ” એવી સંજ્ઞાવાળો, (૨) ગસંન્યાસ” એવી સંજ્ઞાવાળે. અત્રે ધર્મો એટલે ક્ષાયોપશમિક ભાવે, અને યોગ એટલે મન-વચન-કાયાનું કર્મ–વ્યાપાર. એટલે જેમાં ધર્મોને-ક્ષાયોપથમિક ભાવેને સંન્યાસ-ત્યાગ હોય છે તે ધર્મસંન્યાસ યોગ ને જેમાં મન-વચન-કાયાના યોગને સંન્યાસ-ત્યાગ હોય છે તે યોગસંન્યાસ યોગ. જેમાં ક્ષાયિક ભાવે ઉપજે છે એવા ધર્મસંન્યાસ યોગથી ક્ષપકશ્રેણી પર ચઢી કેવલજ્ઞાન પામી સયોગી કેવલી થાય છે, ને યોગસંન્યાસ યોગથી અયોગી અવસ્થા પામી અયોગી કેવલી થાય છે. તેમાં જે જ્યારે હોય છે, તે ત્યારે કહી બતાવવા માટે કહે છે– द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्व, द्वितीय इति तद्विद :॥८॥ બીજા કરણ અપૂર્વમાં, પહેલો તાત્વિક હોય; આયેાજ્યકરણની પછી, તો બીજો જોય. ifસવા–fષા–બે પ્રકારનો, સચેં–આ, સામર્થ્યોગ છે. કેવા પ્રકારે છે કે ધર્મસંન્યાસ નારંન્ચારસંહિતા –ધર્મસંન્યાસ અને ચોગસંન્યાસ સંજ્ઞાથી (નામથી)યુક્ત. સંન્યાસ, નિવૃત્તિ, ઉપરમ એ એક અર્થ છે; તેથી આની “ધર્મસંન્યાસ” સંતા ઉપજી છે, એટલા માટે ધર્મ સંન્યાસ સંનિત. avaifસ્ટ ” એમ વેગસંન્યાસ’ સંજ્ઞા આની ઉપજી છે એટલા માટે યોગસંન્યાસસંનિત. આ ધર્મે ક્યા? વા યોગે કયા ? તે માટે કહ્યું – ક્ષામાં પાનાં-ક્ષાયોપશમિક તે ધર્મો, ક્ષયપશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્મો છે. સા: કાયયિમ તુ– અને યોગે તે કાય આદિના વ્યાપાર છે--કાયોત્સર્ગીકરણ આદિ. એમ આ સામગ બે પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy