SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સામવેગનું સ્વરૂપ આના સમર્થન અર્થે જ કહે છે– सिद्धयाख्यपदसंप्राप्तिहेतुभेदा न तत्त्वतः । રાઘાવાવા, સથે મિ: | 8 || સિદ્ધિપદ પ્રાપ્તિ હેતુના, ભેદ તત્વથી અહિ માત્ર શાસથી જ સર્વથા, ગમ્ય ગિને નહિ અર્થ – સિદ્ધિ' નામના પદની પ્રાપ્તિના હેતુભેદ અહીં તત્ત્વથી, પગીઓને શાસ્ત્ર દ્વારા જ, સર્વથા જ જાણવામાં આવતા નથી. વિવેચન “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત વીર.” શ્રી આનંદઘનજી ઉપર જે કહ્યું તેના સમર્થન માટે–પુષ્ટિ માટે અત્રે કહે છે કે–મોક્ષપદની પ્રાપ્તિના જે સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર વગેરે હેતુએ છે, કારણવિશેષે છે, તેનું જ્ઞાન યોગીઓને–સાચા સંત સાધુપુરુષને માત્ર શાસ્ત્ર દ્વારા જ સર્વ પ્રકારે થઈ શકે નહિં. હા, કેટલાક પ્રકારે શાસ્ત્રથી અવશ્ય જાણી શકાય, પણ બધાય નહિં. કારણ કે તે સમ્યગદર્શનાદિ હેતુભેદેના ભેદ અનંત છે, કે જે વાણીને અગોચર છે, “યતો ઘા નિર્તને” જ્યાંથી વાણી પાછી વળે છે. માટે મુક્તિ પ્રાપ્તિ સંબંધમાં શાસ્ત્ર સર્વથા સમર્થ નથી, તેમ જ વ્યર્થ પણ નથી. અમુક મર્યાદા સુધી તેનું દિગ્ગદર્શન છે. શાસ્ત્રમર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાં સામર્થ્યયોગ શરૂ થાય છે. એટલે પછી તે આ સમર્થ યેગીને સામર્થ્ય યેગનું–આત્માનુભવરૂપ જ્ઞાનયેગનું જ અવલંબન રહે છે, અને તે યોગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર જ તેને સહજ આત્મસ્વરૂપ શુદ્ધ ચિતન્ય સ્વામી બનાવે છે. સર્વથા તેને પરિચ્છેદ (પરિજ્ઞાન) શાસ્ત્ર થકી જ માનવામાં આવતાં, દોષ કહે છે – सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥५॥ વિ-ઉતારવ્યવનપ્રાપ્તિ હેતુમેવા–સિદ્ધિ નામના પદની પ્રાપ્તિના હેતુભે, મેક્ષ નામના પદની સંપ્રાપ્તિના કારણવિશેષ–સમ્યગદર્શનાદિ. શું? તો કે તરતઃ–નથી તત્ત્વભાવથી, પરમાર્થથી, ક્યારેક-શાસ્ત્ર થકી જ, આગમ થકીજ,જાન્નત્તે—જાણવામાં આવતા. અને એમ છતાં પણ શાસ્ત્રનું વૈયર્ધા–વ્યર્થપણું–ફોગટપણું નથી એટલા માટે કહ્યું– સ દ જિમિ – સર્વથા જ અહીં યોગીઓથી, એટલે સર્વે જ પ્રકારથી અહીં લોકમાં સાધુઓથી,–તેઓના (સમ્યગદર્શનાદિના) અનન્તભેદપણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy