SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ પૂજામાં પ્રતિપત્તિપૂજાનું પ્રાધાન્ય અને તેનું સ્વરૂપ પરમ ગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.”—શ્રી દેવચંદ્રજી. અને તે વિતરાગથી અન્ય તે તેના પ્રકર્ષને પ્રાપ્ત છે નહિં, અર્થાત વીતરાગ શિવા યના બીજાને ભાવનમસ્કારની પરાકાષ્ઠા હજુ પ્રાપ્ત નથી, એટલે તેને તેવા પ્રકારે પ્રાર્થનારૂપ નમસ્કાર કરવામાં અવિરોધ છે. “મારપૂનાચા પ્રધાનસ્વાર્ , તથા પ્રતિપત્તિ સ્વાતા” કારણ કે ભાવપૂજાનું જ પ્રધાનપણું છે, અને આ ભાવપૂજાનું ભાવપૂજાનું પ્રધાનપણું પ્રતિપત્તિરૂપપણું છે માટે. અર્થાત્ ભાવપૂજા છે તે જ પ્રધાન છે અને અને પ્રતિપત્તિરૂપપણું તે પ્રતિપત્તિરૂપ છે. આ અંગે અન્યોએ પણ કહ્યું છે કે-“પુષ્પ, આમિષ (નૈવેદ્યાદિ), સ્તોત્ર અને પ્રતિપત્તિ પૂજાનું ઉત્તરોત્તર પ્રાધાન્ય (પ્રધાનપણું) છે.” અર્થાત્ પુષ્પપૂજાથી આમિષપૂજા ચઢીયાતી, આમિષ પૂજાથી સ્તોત્રપૂજા ચઢીયાતી અને સ્તોત્રપૂજાથી પ્રતિપત્તિપૂજા ચઢીયાતી છે. આમાં પ્રથમ ત્રણ પ્રકાર દ્રવ્યપૂજાના અંગભૂત છે ને એ પ્રકાર-પ્રતિપત્તિપૂજા ભાવપૂજારૂપ છે. “ દ્રવ્ય સેવ વન્દન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામજી; ભાવ અભેદ થવાની ઈહ, પરભાવે નિકાજી..... શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાછે.–શ્રી દેવચંદ્રજી પ્રતિપત્તિ પૂજા એટલે શું ? જે જિનસ્વરૂપ છે તેના એક અંશથી માંડીને સર્વ અંશ સુધીના પ્રહણ-અંગીકરણ વડે નિજ સ્વરૂપનું આવિર્ભાવન–પ્રગટપણું તે પ્રતિપત્તિ પૂજા છે. અર્થાત સમ્યગદર્શન ભાવથી માંડીને કેવલજ્ઞાન ભાવ પર્યત પ્રતિપત્તિ પૂજાનું સ્વરૂપ ઉત્તરોત્તર વધતી દશાથી શુદ્ધ આત્મભાવનું અંગીકરણ-પ્રગટપણું તે પ્રતિપત્તિપૂજા છે. સમ્યગૃષ્ટિપણું પ્રગટવું તે પ્રભુતાને અંશ આત્મામાં પ્રગટવા બરાબર હેઈ પ્રતિપત્તિપૂજાના મંગલ પ્રારંભ સમાન છે. તે પછી અનુક્રમે સાચું ભાવશ્રાવકપણું પ્રગટવારૂપ સમ્યગદષ્ટિ દેશવિરતિપણું, સાચું ભાવસાધુપણુંખરેખરૂં મુનિપદ પ્રગટવારૂપ સમ્યગૃષ્ટિ સર્વવિરતિપણું, અખંડ શુદ્ધ આપાગમાં અપ્રમત્ત જાગ્રતપણારૂપ અપ્રમત્તપણું, અપૂર્વ આત્મસામર્થ્યના સમુલ્લાસરૂપ અપૂર્વકરણપણું, શુદ્ધ આત્મધ્યાનરૂપ શુકલ ધ્યાનથી શ્રેણીઆરોહણપણું, સર્વ મેહને ઉપશમનરૂપ ઉપશાંત મેહપણું વા ક્ષીણકરણરૂપ ક્ષીણમેહપણું–વીતરાગ યયાખ્યાતચારિત્રપણું, અને છેવટે વીતરાગ સર્વજ્ઞસર્વદશિપણું, આમ ઉત્તરોત્તર આત્માની ગુણદશા વાવતાં પૂર્ણતા પર્યત આત્માની પ્રભુતા પ્રગટતી જવી તે પ્રતિપત્તિ છે. અને જેને એ પૂર્ણ પ્રભુતા પ્રગટી છે એવા પ્રભુના સ્વરૂપેધ્યાનાવલંબને આત્મા જેમ જેમ આત્મભાવના અવલંબનવાળી આ ગુણદશાની ઊર્ધ્વમુખી યાત્રામાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેની આ પ્રતિપત્તિપૂજાની માત્રા પણ વધતી જાય છે. અને આમ પ્રભુના આલંબને અપવાદથી અને આત્માના આલંબને ઉત્સર્ગથી આત્મા ઉત્તરોત્તર કેવી રીતે ચઢતી દશા પામે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy