SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ৩৩ મૃષાવાદ અંગે શંકા સમાધાન : ભાવનમસ્કારનો ઉત્કર્ષ આદિ ભેદ (સમાધાન) કહેવામાં આવે છે–આ ચતકિંચિત છે (આ વાતમાં કઈ માલ નથી), તેના તત્વનું અપરિજ્ઞાન છે માટે. ભાવનમસ્કારનો પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ એ તત્વ છે. અને એમ ભાવનમસ્કારવંતને પણ તથાતથા પ્રકારે ઉત્કર્ષાદિ ભાવ વડે કરીને આને તત સાધન (ભાવનમસ્કાર સાધનને) અયોગ અસિદ્ધ છે, તેના (ભાવનમસ્કારના) ઉત્કર્ષના સાધ્યપણાએ કરીને તેના સાધનપણાની ઉપપત્તિ છે માટે. અને આમ એમ પાઠમાં પણ મૃષાવાદ છે ઈત્યાદિ નિરર્થક જ છે –અસિદ્ધ બાબતમાં તેનું પ્રાર્થનાવચન છે એવા પ્રકારે ન્યાયની ઉપપત્તિ છે માટે, અને તેનો પ્રકર્ષવાન એ વીતરાગ તે એમ પડતો નથી માટે વિવેચન “શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભાવભયથી ટળિયાજી.”—શ્રી દેવચંદ્રજી. અત્રે કઈ શંકા કરે છે કે-જે એમ ભાવનમસ્કાર છે તો સામાન્યથી એવા પ્રકારે પાઠ યુક્ત નથી, કારણ કે જેને ભાવનમસ્કાર વર્તે છે, તેને ભાવનમસ્કાર ભાવ વડે ભાવ નમસ્કારનું સાધન ઘટતું નથી; અર્થાત્ જે ભાવનમસ્કાર છે, તે પછી તેને સાધવાનું કયાં રહ્યું ? વળી એવા પ્રકારે પાઠમાં મૃષાવાદને દેષ પણ પ્રાપ્ત થાય છે, કારણ કે “સતર્ અમિષા પૃપ અસ અભિધાન તે મૃષા એમ વચન છે; અને અત્રે જે ભાવથી નમસ્કારની સિદ્ધિ છે, તે પછી તે ભાવ માટેનું પ્રાર્થનાવચન અસત્ અભિધાન છે, કારણ કે તે ભાવનમસ્કારને ભાવ હોવાથી તદ્ભવનને અલગ છે, અર્થાત્ આ ભાવનમસ્કાર હે ! એમ અનાગત ઈષ્ટલાભની આશંસારૂપ-પ્રાર્થનરૂપ વચન ઘટતું નથી. આ શંકાનું સમાધાન કરતાં આચાર્યજી દે છે કે–આ તમારી શંકામાં કાંઈ માલ નથી, કારણ કે તમે અત્ર તત્ત્વ સમજ્યા નથી. અત્રે તત્વ એ છે કે ભાવનમસ્કારને પણ ઉત્કર્ષ આદિ ભેદ છે જ; “માનમારચાર પવિમેવ ” ભાવની તરતમતા પ્રમાણે ભાવ નમસ્કારના પણ જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ આદિ ચઢતા-ઉતરતા પ્રકાર ભાવનમસ્કારને હોય જ છે. એટલે એવા પ્રકારે ભાવનમસ્કારવંતને પણ તથાતથા– ઉત્કર્ષ આદિ ભેદ પ્રકારે ઉત્તરોત્તર ચઢીયાતી લેટિના ભાવનમસ્કાર વડે તેને ઉત્કર્ષ આદિ ભાવ હોય છે; એથી કરીને ભાવનકાર વડે ભાવનમસ્કારનું સાધન ઘટતું નથી એમ નથી, અપિતુ ઘટે જ છે–તતુલ્ય સાગર તસાધનો કારણ કે ઉત્તરોત્તર ભાવના અનુબંધથી ભાવનમસ્કારને ઉત્કર્ષ–ઉત્તરોત્તર ચઢતી દશા પ્રાપ્ત કરવી એ જ સાધ્ય છે, એટલે તે ભાવશેણીએ ચઢવા માટે તેના સાધનપણે ભાવ નમસ્કારનું પણ ઘટમાન પણું જરૂર છે જ. કારણ ભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાજી; કારજ સિદ્ધ કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાજી.....શ્રીચંદ્ર.” શ્રી દેવચંદ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy