SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પત્તિકાકાર શ્રી મુનિસુંદરસૂરિજીએ પિતે જ કહ્યું છે તેમ આ પંજિકા “દુર્ગમ કેટલાક પની વ્યાખ્યા છે, એટલે આ પંજિકા સંપૂર્ણ લલિતવિસ્તરા વૃત્તિને સ્પર્શતી નથી પણ તેના કેટલાક સ્થળોને જ પ્રાયઃ સમાસવિભજનાદિ પ્રકારે પદઓદવ્યાખ્યાનરૂપે અને કવચિત્ અર્થવિવરણરૂપે સ્પર્શે છે, અને ઘણા સ્થળે તે “મોન” છે, છતાં તે સુંદર તેમજ તે તે ઉપલભ્ય સ્થળે પ્રકૃતમાં અર્થોપયોગી હેઈ, તેને અક્ષરશઃ અનુવાદ કરી જેમ છે તેમ અભ્યાસીની અનુકૂળતા અર્થે અત્ર મૂકી છે, અને તેને આશય પણ યથાસ્થાને યથાસંભવ મહારા વિવેચનના એકદેશમાં અંતર્ભાવિત કર્યો છે. (૫) સળંગ વિવેચન અથવા “ચિહેમવિધિની ટીકા–લલિતવિસ્તર વૃત્તિના મૂળ સૂત્રના પ્રાયઃ પ્રત્યેક પદને આશય સ્પષ્ટ કરતું સવિસ્તર સળંગ વિવેચન અથવા “ચિહેમવિધિની” ટીકા મેં રચેલ છે. તેમાં પ્રાયઃ ચિહેમવિધિની પ્રત્યેક સૂત્રના વિવેચનના મથાળે તે તે સૂત્રના વિષયના મુખ્ય ટીકાની યોજના ભાવને અનુરૂપ ને તેને પરિપુષ્ટ કરે એવું “અધિષ્ઠાતા રૂપ સુભા ષિત મૂકયું છે. તેમજ પ્રસ્તુત વિવેચનના દેહરૂપ અંગમાં પણ સ્થળે સ્થળે-પ્રકૃત ભક્તિરસભાવને પરિપુષ્ટ કરે એવા શ્રી આનંદઘનજી, શ્રી યશવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રીમદ રાજચંદ્રજી, શ્રી ચિદાનંદજી, શ્રી સિદ્ધસેનદિવાકરજી, શ્રી સમંતભદ્રાચાર્યજી, શ્રી માનતુંગાચાર્યજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હરિભકાચાર્યજી, શ્રી કુંદકુંદાચાર્યજી, શ્રી અમૃતચંદ્રાચાર્યજી આદિ મહા ભક્તશિરોમણિ પરમ તત્વષ્ટા મહાસંત જન કેલ્કી વચનામૃતે પણ તેની અર્થ. ભાવના સમેતપણે અવતરણરૂપે યથાસ્થાને ટાંક્યા છે,–જેથી આ પરમ સત્પના અનુભવપ્રસાદીરૂપ વચનાનુગ્રહથી તસ્વરસિક સજજને આ ભક્તિરસજાવીના પાવન તત્વ જલમાં નિમજજનને રસાસ્વાદ એર માણી શકશે, અને “ચિહેમના”—ચિતન્યરૂપ સુવર્ણ ધાતુના કર્મ-મલની અશુદ્ધિનું વિશેધન કરી આ ચિહેમવિશોધિની ને ચરિતાર્થ કરશે. અતુ! આમ પંચ અંગમાં નિયત કરેલી આ હારા વિવેચનગ્રંથની રૂપરેખારૂપ જના (Scheme, plan) પરથી આ ગ્રંથની પદ્ધતિને સામાન્ય સમગ્ર ખ્યાલ સુજ્ઞ વાચકોને આવશે. અત્રે સુજ્ઞ વાચકને લક્ષમાં રહેવા એટલું સામાન્ય સૂચન ગ્રંથ પદ્ધતિ અંગે કરવું યોગ્ય છે કે–પ્રત્યેક ગદ્યસૂત્રનું વિવેચન જ્યાં પૂર્ણ થાય છે, સામાન્ય સૂચન ત્યાં છે આ ચિહ્ન મૂકયું છે, અનેક સૂત્રોના સમૂહરૂપ આંતરાધિકાર જ્યાં પૂર્ણ થાય છે ત્યાં ક આ મેટા સ્વસ્તિકનું ચિહ્ન મૂકયું છે, અને નવીન અધિકાર નવે પાને શરૂ કરી તેની પૂર્ણાહુતિમાં કમળ-દીપક આદિ જુદી જુદી જાતના બ્લેક મૂકયા છે. આ પેજનાથી આવા મહાકાય ગ્રંથના સ્પષ્ટ સુરેખ વિભાગપ્રતિવિભાગ સુજ્ઞ વાચકને સુબાહ્ય અને બુદ્ધિગમ્ય બનશે. અત્રે એટલે પ્રાસંગિક નિર્દેશ પણ કરે આવશ્યક છે કે આ લલિતવિસ્તરા શ્રી હરિભદ્રસૂરિની ગદષ્ટિસમુચ્ચય પછીની ઉત્તર કૃતિ છે, કારણ કે આ ગ્રંથમાં તેઓશ્રીએ તે સ્વરચિત ગદક્ટિસ ચ્ચયના ઈચછાયેગાદિ અંગેના નવ કલેકે પિતે અવતાર્યા છે. આ યોગદષ્ટિસમુચ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy