SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ “દેવચંદ્ર પ્રભુની છે કે પુયે ભક્તિ સંધે, આતમ અનુભવની છે કે નિત નિત શક્તિ વધે.”—શ્રી દેવચંદ્રજી. કામ એક આત્માર્થનું, બીજો નહિં મન રેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવી આ પરમ ઉપકારી કૃતિના પ્રજનને અનુરૂપપણે આ વિવેચકે પણ આ વિવેચનગ્રંથ લખવાને પ્રયાસ કર્યો છે. આ મસ્કૃત વિવેચનગ્રંથ કે જેનું નામાભિધાન હારા પૂ. સદ્, માતુશ્રી પુણ્યમૂર્તિ શ્રી હેમદેવીની પુણ્ય સ્મૃતિમાં ચિહેમવિધિની તેમ જ પરમાર્થ અર્થમાં પણ “ચિહેમવિધિની' ટીકા ટીકા નામક રાખવામાં આવ્યું છે, તે સંપૂર્ણ લલિતવિસ્તર વૃત્તિને આવરી વિવેચન લેતે વિવરણરૂપ પ્રથમ વિનમ્ર પ્રયાસ હોઈ, તેને પ્રાયઃ પ્રત્યેક પદની વિસ્તૃત વિવેચના કરે છે અને આ વિવેચના શુદ્ધ ચિભૂત્તિ અહંત ભગવતની ભક્તિરૂપ ચિત્યવન્દન સૂત્ર સંબંધિની હેઈ ચિદ્રૂપ હેમની વિધિની છે, એટલે પણ ઉક્ત નામાભિધાન તત્વરસિક આત્માથી એને પરમાર્થથી યથાર્થ પ્રતીત થવા ગ્ય છે. આ મ્હારા વિવેચનગ્રંથની મેં આ પ્રકારે પંચાંગી એજના નિયત કરી છે– (૧) લલિત વિસ્તરા મૂળ આ મૂળ સળંગ ગ્રંથનું (મૂળને યથાવત રહેવા દઈને) વિભાગવાર અધિકારાદિ સ્પષ્ટ વર્ગીકરણ કરી, પૂર્વાપર સંબંધ જોઈને ૩૭૫ પારિ ગ્રાફમાં (કંડિકાઓમાં) અથવા ગદ્યસૂત્રમાં વિભક્ત કરવાની છૂટ આ વિવેચન ગ્રંથની મેં લીધેલ છે; એટલે કે અત્રે આ ગ્રંથમાં ગદ્યસૂત્રના યથાયોગ્ય પંચાંગી લેજના વિભાગ પ્રમાણે પારિગ્રાફ પાડવાની અને આ પારિગ્રાફને (કંડિકા એને) અંક-નંબર આપવાની આ નૂતન યોજના મેં દાખલ કરી છે કે જેથી સુજ્ઞ વાચકને ગ્રંથને સ્પષ્ટ સુરેખ ખ્યાલ આવવા સાથે વિષય સુગ્રાહ્ય અને સુગમ બની તે તે વિષય શોધવાની (Ready reference) સરળતા–અનુકૂળતા પડે. (આ અંક અંગે વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ આ ગ્રંથ પૂ. ૬૯ ફૂટ) (૨) ઉત્થાનિકા-અવતરણિકા–ઉપરોક્ત પ્રકારે વિભક્ત પ્રત્યેક ગદ્યસૂત્રમાં શો વિષય આવે છે તેને સારસંદર્ભ સૂચવતી અને પૂર્વાપર સંકલના નિબદ્ધ કરતી પ્રત્યેક સૂત્રની ખાસ ઉસ્થાનિકા-અવતરણિકા મેં જ છે -જેથી આવા અર્થધન દુર્ગમ ગ્રંથના પ્રસ્તુત સુત્રના મુખ્ય વક્તવ્યને-મુખ્ય મુદ્દાને સુજ્ઞ વાંચકને તક્ષણ સ્પષ્ટ ખ્યાલ આવે. (૩) લલિતવિસ્તરા અનુવાદ–આ મૂળ ગ્રંથના પ્રત્યેક સૂત્રને અક્ષરશઃ યથાવત્ અનુવાદ કિંચિત્ પણ નાધિક વિના મેં કરેલ છે, જેથી મૂળકારના સંપૂર્ણ અભિધેયને વિચક્ષણ અભ્યાસીને મૂળ સાથે યથાર્થ બિંબ–પ્રતિબિંબ ભાવ પ્રતીત થાય. (૪) પંજિકા અનુવાદ–જ્યાં જ્યાં ઉપલભ્ય છે ત્યાં ત્યાં શ્રી મુનિસુંદર સૂરિજી કૃત પંજિકાને અક્ષરશઃ અનુવાદ કરી મેં યથાવત્ ફૂટનેટમાં આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy