SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૧) “નમોઝભ્ય:' પદ વ્યાખ્યાન અર્થ :– અને કહ્યું છે કે જેમ વિધિથી વાવેલા બીજમાંથી અંકુરાદિને ઉદય કેમે કરીને હોય છે, તેમ ધર્મબીજ થકી પણ ફલસિદ્ધિ બુધે જાણે છે. ૧. - ધર્મ બીજની વાવણી તે તદ્દગત સપ્રશંસાદિ છે, તચિન્તાહિ તે અંકુરાદિ છે, અને નિતિ (નિર્વાણુ-મોક્ષ) તે ફલસિદ્ધિ છે. ૨. - ચિન્તા, સતકૃતિ, અનુષ્ઠાન, દેવ-માનુષ સં૫૬ –એ કેમે કરીને અંકુર, સતકાંડ, નાલ અને પુષ્પ સમા કહ્યા છે. ૩. વિવેચન બીજે વૃક્ષ અનંતતા રે, લાલ. પસરે ભૂ-જલ ગ રે; તિમ મુજ આતમ સંપદા રે લાલ. પ્રગટે પ્રભુ સંગ રે....પદ્મપ્રભ.” શ્રી. દેવચંદ્રજી અને બીજમાંથી ફલની ઉત્પત્તિ જેમ, ધર્મબીજમાંથી મુક્ષફલની સિદ્ધિ હોય છે, તે પ્રતિપાદન કરનારૂં પ્રસિદ્ધ દષ્ટાંત વર્ણવનારા સુભાષિત પદે ગ્રંથકર્તા મહર્ષિએ ટાંક્યા છે. તેને ભાવાર્થ એમ છે કે સક્ષેત્રમાં વિધિથી વાવેલા બીજમાંથી વિધિનતાદ્ કથા વિનાત જેમ અનુક્રમે અંકુરાદિને ઉદય થઈ છેવટ ફલસિદ્ધિ હોય છે, તેમ સતુપાત્રમાં વિધિથી વાવવામાં આવેલ ધર્મબીજમાંથી પણ અનુક્રમે ફલસિદ્ધિ હોય છે. તેમાં-ધર્મસંબંધી પ્રશંસાદિ છે તે ધર્મબીજની વાવણી છે, ધર્મસંબંધી ચિન્તાદિ છે તે અંકુરાદિ છે અને નિર્વતિ–નિર્વાણુ–મોક્ષ તે ફલસિદ્ધિ છે. અત્રે ધર્મ સંબંધી સપ્રશં. સાદિ તે ધર્મબીજ છેઅર્થાત્ ધર્મસંબધી સતપ્રશંસા-પ્રશસ્ત ભાવ, પરમ ઉપાદેયબુદ્ધિથી નિષ્કામ કુશલચિત્ત, વર્ણવાદ આદિ તે આત્મક્ષેત્રમાં શ્રુત-ચારિત્રરૂપ ધર્મના બીજની વાવણી સમાન છે. અત્રે “સ” પ્રશંસાદિ એમ કહ્યું, તેમાં સત્ એટલે સંશુદ્ધ અને તેનું લક્ષણ ૪ શ્રી. એગદષ્ટિસમુચ્ચયમાં આ કહ્યું છે – (૧) અત્યંત સતપ્રશંસાદિ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞાનિધ (૩) ફલાભિસંધિરહિતપણુંધર્મબીજ નિષ્કામ પડ્યું. અર્થાત્ પ્રથમ તે સધર્મ પ્રત્યે અત્યંત ઉપાદેય બુદ્ધિ હેવી જોઈએ. એટલે કે આ ધર્મ બીજા બધાય કરતાં વધારે આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા ગ્ય છે, આરાધવા-ઉપાસવા યોગ્ય છે, એવી તેને સૌથી પ્રથમ સ્થાન આપતી પરમ ઉપાદેય બુદ્ધિ તે પ્રત્યે ઉપજવી જોઈએ. સંશુદ્ધનું બીજું લક્ષણ એ છે કે–તેમાં આહાર, ભય, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લેક એ દશ સંજ્ઞાને નિરોધ-ઉદયઅભાવ હે ઈ એ. સંશુદ્ધનું ત્રીજું લક્ષણ ફલાભિસંધિ રહિતપણું છે, અર્થાત્ સંશુદ્ધમાં ફલની કામના, નિદાન, આશંસા ન હોય. આમ જ્યાં ધર્મ પ્રત્યે પરમ ઉપાદેયબુદ્ધિ, સંજ્ઞા અનુદય અને નિષ્કામપણું વતે છે, એવું સંશુદ્ધ-સત્ પ્રશસાદિ જ ધર્મબીજ હોય છે અને તે જ ગસિદ્ધિનું સાધક x “उपादेयाधियात्यन्तं संज्ञा विष्कम्भणान्वितम् । રામરષિાદિતં સંશુદ્ધ દેતીદામ –ી ગદ્રષ્ટિસમુચ્ચય, ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy