________________
ચૈત્યવદનને પૂર્વવિધિ-દ્રવ્યથી અને ભાવથી
૫૯ અર્થ—અહીં પ્રણિપાત કપૂર્વક ચૈત્યવન્દન છે, એટલા માટે તેની જ આદિમાં વ્યાખ્યા કરવામાં આવે છે. અને તેમાં વિધિ આ છે–
અહીં સાધુ વા શ્રાવક – ૧. ચિત્યગ્રહાદિમાં એકાંત પ્રયત થઈ, અન્ય કર્તવ્ય પરિત્યક્ત કરી, પ્રદીર્ઘતર તદુભાવગમનથી યથાસંભવ ભુવનગુની પૂજોપચાર સંપાદિત કરી,
૨. પછી સકલસર્વોઅનાવિની (કઈ પણ પ્રાણુને બાધા નહિં ઉપજાવનારી) ભૂમિ નિરખીને અને પરમ ગુરુએ પ્રણીત કરેલ વિધિથી પ્રમાઈને,
પૃથ્વી પર જાનુ (ગઠણ) અને કરતાલ સ્થાપન કરી,
૩. પ્રવર્ધમાન થતા અતિ તીવ્રતર શુભ પરિણામે, ભક્તિઅતિશય થકી હર્ષાશ્રુથી પરિપૂર્ણ લચને, રોમાંચિત દેહે,
૪. મિથ્યાત્વ જલ નિલયવાળા અનેક કુગ્રહ નકચકથી આકુલ ભવાબ્ધિને વિષે અને આયુષ્મા અનિત્યપણાને લીધે આ અતિ દુલભ, અને સકલ કલ્યાણનું એક કારણ, એવું ચિન્તામણિ–કલપકુમની ઉપમાને અધકૃત કરતું ભગવતપાદવન્દન કેમે કરીને માંડમાંડ પ્રાપ્ત થયું છે, અને આનાથી પર કૃત્ય છે નહિ,-એમ આના વડે આત્માને કૃતાર્થ અભિમા ન સતે,
ભુવનગુમાં નયન-માનસ વિનિશિત (સ્થાપિત કરી,
૫. અતિચારભીરતાથી સમ્યફ અખ્ખલિત આદિ ગુણસંપતથી યુક્તપણે, તેના અર્થના અનુસ્મરણ પણે જ, પ્રણિપાતષ્ઠક સૂત્ર પઠે છે. અને તે આ છે –
વિવેચન દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ દહતિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈ એ રે.
સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણ એમ કીજે રે.”—શ્રી આનંદઘનજી
અત્રે યવન્દનની પૂર્વતૈયારીરૂપ પૂર્વવિધિ દ્રવ્યથી અને ભાવથી બને પ્રકારથી પ્રદર્શિત કર્યો છે. ચૈત્યવદન કરતાં પૂર્વે પ્રણિપાતદણ્ડક સૂત્ર (નમુત્થણું) ૫ઢવું જોઈએ, એટલા માટે તેની જ આદિમાં વ્યાખ્યા કરી છે, અને તે પ્રણિપાતદડક સૂત્ર પઠતાં પહેલાં પણ કેવા પૂર્વવિધિથી ભાવવૃદ્ધિ કરવી જોઈએ તે પણ સાગપાંગ ક્રમથી દર્શાવ્યું છે –
આ અદ્ભક્તિમય ચૈત્યવન્દન કરવા ઈચ્છતે સાધુ વા શ્રાવક હોય, તે–
(૧) પ્રથમ તે ચૈત્યગૃહાદિમાં “ બચત –એકાંત પ્રયત થઈ એક માત્ર આ ચિત્યવન્દન ભક્તિકૃત્યમાં પ્રયત્નવંત-સમુદ્યત થઈ, એક એમાં જ ઉપયોગ જેડી, બીજું બધું કર્તવ્ય સર્વથા છેડી, “પ્રીત તમામને '–પ્રદીર્ઘતર તદ્ભાવગમનથી યથાસંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org