SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : વ્યાખ્યા અને સપ્ત વ્યાખ્યાંગ આ સાચી જિજ્ઞાસા ઉપજે છે, એટલે તે અસમ્યગૃષ્ટિને હોતી નથી, એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે. | હું કેણ સ્વરૂપ મુજ શું? જાણવા તત્ત્વ ઝંખે, ઉત્કંઠાથી તરસ બુઝવા ચાતકો જેમ કંબે—શ્રી યોગદષ્ટિકળશ (સ્વરચિત) ગુગ-એ બીજું વ્યાખ્યાંગ પ્રદર્શિત કરે છે તથા— गुरुणा-यथार्थाभिधानेन स्वपरतन्त्रविदा परहितनिरतेन पराशयवेदिना सम्यक् सम्बन्धः, एतद्विपर्ययाद्विपर्ययसिद्धः । तद्व्याख्यानमपि अव्याख्यानमेव, अभक्ष्यास्पशनीय. न्यायेनानर्थफलमेतदिति परिभावनीयम् ॥१७ અર્થ :–(૨) તથા–ગુરુ સાથે–યથાર્થ અભિધાનવાળા, સ્વપરત–વિ૬, પરહિતનિરત, પરાશવેદી એવા ગુરુ સાથે સમ્યક સંબંધ (તે ગુગ),–આના વિપર્યયથી (ઉલટા પ્રકારથી) વિપર્યયની (ઉલટા પ્રકારની) સિદ્ધિ (હેય છે) માટે તેનું (વિપરીત ગુણવાળા ગુરુનું) વ્યાખ્યાન પણ અવ્યાખ્યાન જ છે; અભક્ષ્ય-અસ્પશનીય ન્યાયથી આ (વ્યાખ્યાન) અનર્થફલવાળું છે, એમ પરિભાવન કરવા યોગ્ય છે.? વિવેચન આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ ચગ્ય.”–શ્રી આત્મસિદ્ધિ ગુરુ સાથે સમ્યક્ સંબંધ તે “ગુરુગ” નામનું બીજું વ્યાખ્યાઅંગ છે. સાચે તત્ત્વજિજ્ઞાસુ હોય તે તજ્ઞ જ્ઞાની સદ્ગુરુને શોધે, એટલે જિજ્ઞાસા પછી ગુગ એ બીજુ અંગે કહ્યું. આ ગુરુ કેવા હોવા જોઈએ ? તેનું સ્પષ્ટ યથાર્થનામાં લક્ષણ અત્રે પ્રદર્શિત કર્યું છે–પ્રથમ તે તે ગુરુ “યથાર્થ અભિગુણગણગુરુ ગુરુ ધાનવાળા’ હોય. અર્થાત્ ” છત્તર ગુનો નુ મ” ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ગુણગણગૌરવથી “ગુરુ” હોય, તે જ તેનું યથાર્થ “ગુરુ” નામ કહી શકાય. એટલે જેનામાં આચાર્ય આદિમાં અવશ્ય હેવા યોગ્ય એવા શાક્ત યથાર્થ ભાવ-ગુણ વત્ત છે, અંતરુમાં ગરૂપ ભાવ–દી પ્રગટયો હોવાથી જે સાચા ભાવગી આત્મજ્ઞાની છે, એવા ખરેખરા ભાવાચાર્ય–ભાવસાધુને જ ગુરુ” નામ ઘટે છેનહિં કે માત્ર દ્રવ્યલિંગ ધારણ કરનારા વેષધારી-નામધારી એવા દ્રવ્યઆચાર્ય–વ્યસાધુ આદિને. કારણ કે દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ આદિ તે ખોટ રૂપીઆ રિયા-પુત્તરદારિ ’–આવા ગુણવાળાથી વિપરીત ગુરુ થકી, વિપfસ – વિપર્યયની સિદ્ધિને લીધે, અવ્યાખ્યાનની સિદ્ધિને લીધે. એની ભાવનાથે કહ્યું-તારવ્યાજfમાહિ સમાજૂનીયાતિ-અભક્ષ્ય-અસ્પર્શનીય–ન્યાયથી. ભક્ષ્ય પણ ગોમાંસાદિ કુત્સિતપણાને લીધે સમક્ટ અભક્ષ્ય છે તથા સ્પર્શનીય પણ ચડાલાદિ કઈને કુત્સિતપણાને લીધે સીઅસ્પર્શનીય છે, તે વડે ચા-ન્યાય, દૃષ્ટાન્ત, તેથી કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy