SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાભિનંદી લક્ષણ : નિષ્ફલાભી, લેપંક્તિસ્થ ૪૩ આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કંજુસ જેવા અનુદાર ને છીછરા હેય છે. તે લાભરતિ–લેબી-લાલચુ હોય છે, અને આ લેભી–લાલચુ હોવાથી તે યાંચાશીલ, યાચના કરવાના સ્વભાવવાળે, માગણ વૃત્તિવાળ, વિષયને ભીખારી હોય છે. તે દીન-સદાય અકલ્ય દશ હંમેશાં ભૂંડુંજ દેખનાર (Pessimistic ) નિરાશાવાદી જ હોય છે. તે મત્સરવંત–અદેખે હોય છે, એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષવાળ, પુણ્યષી, ગુણષી હોય છે, પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે. તે ભયવાનું હોય છે, સદા ભયાકુલ-ભયથી ફડફડતા રહ્યા કરે છે. તે શઠ–માયાવી, કપટી, દાંભિક હોય છે. તે અજ્ઞ-અજ્ઞાની ભૂખ સારાસારના ભાન વિનાને હોય છે. સુનો ટામતનો મત્સર મથાન ટકા ૩ મrfમની સ્થાન્નિસ્ટારમાં તઃ ” શ્રી એગદષ્ટિસમુચ્ચય, ૭૬ “લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણું ભવાભિનન્દી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ.” શ્રી ગદષ્ટિ સજઝાય અને આવા લક્ષણવાળ હોઈ તે નિષ્કલારંભી હોય છે, અર્થાત્ અતવાભિનિવેશને લીધે તેને મૂળ આરંભ જ ખોટો હોવાથી તેના સર્વ આરંભ-બધા મંડાણ નિષ્ફળ–અફળ જાય છે. કારણ કે તેને બંધ “અસત પરિણામથી અનુવિદ્ધ”— અસત પરિણામ સંકળાયેલું–જોડાયેલું હોય છે, એટલે તે “વિષમિશ્રિત અનાની અનુવિદ્ધ બેધ: જેમ નિયમથી “અસત્ ” હોય છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય નિષ્ફલારભી કે ભવાભિનંદી જીવ ભલે ગમે તેટલે પંડિત હોય, ગમે તેટલો ભવાભિનંદી દ્રવ્યશ્રુતજ્ઞાની હય, ગમે તે આગમવેત્તા–આગમધર-શાસ્ત્રવિશારદ કહેવાતો હોય, તે પણ તેના પરિણામ અસ–મિથ્યા વાસનાથી વાસિત હોવાથી તેને તે સર્વ બોધ “વાસિત બોધ આધાર” હેઈ વાસ્તવિક રીતે અબોધ જ છે, અજ્ઞાન જ છે, અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ અક્રિયા વા વિક્રિયા જ છે. આમ આંધળે વણે ને પાડે ચાવે” તેની જેમ ભવાભિનંદીનું સર્વ જ્ઞાન નિષ્ફળ છે ને સર્વ ક્રિયા નિષ્ફળ છે, એટલું જ નહિં પણ તેની સર્વ ગક્રિયા પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણ કે તેની મતિના યુગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ-વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા વર્તે છે, એટલે વિષમિશ્રિત અનની જેમ તેને વેગ પણ “અગ” થઈ પડે છે, એટલે જ ભવાભિનંદીના બધા મંડાણ નિષ્ફળ હોવાથી તેને “નિષ્કલારંભી” કહ્યું છે તે યથાર્થ છે. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. ”_શ્રીમદ રાજચંદ્રજી. * इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः। તરંજીવ નિયમrfavસંgવાન્નત ” શ્રી ગદષ્ટિસમુચ્ચય, ૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy