SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ દેશના સિંહનાદ : સાચા વીરપુત્ર હરિભદ્રજીની વીરવાણું ૪૧ છે તે ડગી જાય છે. (૩) એટલે પછી આમાં કાંઈ નથી એમ દેશના કર્તાના વચનથી “કલિત ફલની અભાવ આપત્તિથી દીનતા” ઉપજે છે; પિતે કપેલા ફલના અભાવ પ્રસંગથી કિયા કરવાની શક્તિને જ સડો ક્ષય થવારૂપ લાચારી ઉપજે છે. (૪) એટલે ચિરકાળથી સારી પેઠે અભ્યાસેલ–“સ્વભ્યસ્ત મહામહની વૃદ્ધિ” થાય છે. (૫) એટલે પછી પ્રસ્તુત ક્રિયા સર્વથા છેડી દેવારૂપ “સંત્રાસ” ઉપજે છે. આમ અનુક્રમે અનર્થપરંપરા નીપજે છે. માટે શુદ્ધસત્ત્વવાળ અનધિકારી અને શુદ્ધ દેશનાને અપાત્ર જ છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્ત્રકારોની શિલી છે. અપાત્ર શોતાને તેને અગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનર્થકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઊંધા અનર્થકારક અર્થમાં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યોગ્ય છે. “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસે છે; એ જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી. ગુહ્ય ભાવ એ તેને કહિએ, જેહશું અંતર ભાંજેજી; જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે. ગ્ય અગ્ય વિભાગ અલહ, કરશે મેટી વાતેજી; ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતે.” શ્રી યશોવિજ્યજીકૃત યોગદષ્ટિસાય. તેમાં જે મૃગપરિષદુ જેવા હીનસત્ત્વશ્રોતાજને છે તે, સિંહનાદ સાંભળી મૃગલાંના ટેળાની જેમ, સિંહનાદ જેવી ખીચટ નગ્નસત્યરૂપ વીરવાણી સાંભળી ત્રાસે છે! ને ભડકીને ભાગે છે! એટલે ગતાનુગતિક ગાડરીઆ ટેળા જેવા રૂઢ ને મૂઢ સાચા વીરપુત્ર મૃગલાં જેવા હસવ જીવો આ સત્ય તત્વવાર્તા કેમ ઝીલી શકે? હરિભદ્રજીની આ મહર્ષિ હરિભદ્રજી જેવા સાચા વીરપુત્રની સિંહનાદ જેવી વીરવાણી વીરવાણી શ્રવણ કરવાને કેમ એગ્ય હોય? કારણ કે અહીં તે તથાભાવરૂપ અપુનબંધકાદિ દશાવાળી “નગદનારાયણ”ની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવકિયા તત્વસમજપૂર્વક કરવાની વાત છે, નિષ્કામ શુદ્ધ ભક્તિરૂપ સાચા આત્મપુરુષાર્થથી કર્મક્ષય કરી આશયશુદ્ધિ કરવાની વાત છે, ભવાભિનંદીપણું ત્યજી સાચું મુમુક્ષુપણું ભજવાની વાત છે, માનાર્થ વિષપાન છેડી આત્માર્થ અમૃતપાન કરવાની વાત છે, પ્રથમ અહંકારરૂપ માથું મૂકીને નિષ્કપટ આત્માર્પણપણે પ્રભુનું નામ લેવાની વાત છે. આજે આ “હરિને-કમને હરનારા વીર પ્રભુને માર્ગ શૂરાને માર્ગ છે, એમાં કાયરનું કામ નથી. એમ આ હરિભદ્રની હરિગર્જના પિાકારે છે ત્રાડ પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy