SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિષરૂપ વિષ-ગરઅનુષ્ઠાનઃ અમૃતરૂ૫ અમૃત-તàત અનુષ્ઠાન ધન–કીર્તિ-પૂજા સત્કાર આદિ લાભારૂપ ફલકામનાથી જે કરવામાં આત્માને વિષરૂપ આવે છે તે વિષઅનુષ્ઠાન છે; એટલે સચિત્તને મારી નાંખતું વિષને ગર હોવાથી અને તુચ્છ લાભની સ્પૃહા વડે કરીને મહત્વ એવા સત્ અનુષ્ઠાન અનુષ્ઠાનનું લઘુત્વઆપાદનરૂપ-અશાતનારૂપ થતું હોવાથી, તે આત્માને વિષરૂપે પરિણમી ખરેખરૂં વિષઅનુષ્ઠાન થઈ પડે છે. પરેક સંબંધી ફલકામનાથી કરવામાં આવતું અનુષ્ઠાન પણ તે જ કારણથી આત્માને ગરરૂપે (slow Poison ) પરિણમી, કાલાંતરે હણી, ગરઅનુષ્ઠાન થઈ પડે છે. અને આમ આ લેક-પરલોક સંબંધી લબ્ધિ આદિ અર્થે જે કરવામાં આવે તે એક પ્રકારે માતૃસ્થાન-માયા જ છે. કારણ કે “પરભાવાનુગત ચેતનારે તેહ વકતા ચાલ” એ શ્રી દેવચંદ્રજીના સુભાષિત પ્રમાણે પરભાવ પ્રત્યે આત્માનું વક “માતૃસ્થાન અર્થાત ગમન, કુટિલ આચરણ તે માયા છે અને આવી માયા તે જગતરૂપ માયા દંભ માયાની (સંસારની) માયા (માતા) હેવાથી તેને “માતૃસ્થાન” નામ આપ્યું તે યથાર્થ છે. એટલે પરભાવની પ્રાપ્તિ અર્થે ધર્મ કિયાનું સેવન કરવું તે પણ માયાચારરૂપ કપટ આચરણ છે, અથવા ધમમાં ખપવા ખાતર કે પિતાના દેશના આછાદન ખાતર જે ધર્મક્રિયાને ડાળ વા દંભ કરવામાં આવે તે પણ માયાચાર જ છે. આમ જે કિયા લબ્ધિ આદિ કામનાથી આત્માને વિષરૂપે પરિણમે છે અને જ્યાં માયાચારરૂપ દંભની કપટકળ હૃદયમાં રમે છે, તે કિયાનું સભ્યપણું હોઈ જ કેમ શકે? અને ક્રિયાનું સભ્યપણું ન હોય ત્યાં પછી શુભ ભાવની ઉત્પત્તિ પણ કેમ સંભવે? અર્થાત્ લબ્ધિ આદિ ખાતર માયાથી-દંભથી જે કરવામાં આવે છે ત્યાં સમ્યક્રકરણનું હેવાપણું જ નથી, એટલે ત્યાં શુભભાવની આશા રાખવી તે શશશૃંગ સમાન છે. અને આ પરથી અર્થપત્તિન્યાયે એ ફલિત થાય છે કે—જે આ લેક-પરલોક સંબંધી કામનારહિતપણે, નિષ્કામપણે, નિભપણે કરવામાં આવે તે ક્રિયાનું જ સમ્યક કરણપણું છે, અને તેવી સમ્યક્રપણે કરવામાં આવતી સકિયા થકી અમૃત અને તદ્ધતુ જ શુભ ભાવની ઉત્પત્તિ હોય છે એ નિઃસંદેહ છે. જેમકે–આ અનુષ્ઠાન જિન ભગવાને કહ્યું છે એમ જાણુ ભાવસારપણે સંવેગરંગથી કરવામાં આવતું અનુષ્ઠાન આત્માને અમૃતપણે પરિણમતું હોવાથી અમૃત અનુષ્ઠાન થઈ પડે છે, અથવા સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી કરવામાં * " विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । gdarદતાત્રેય, વઢિાન્તનિતિનાત ” શ્રી યોગબિન્દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy