________________
લલિત વિસ્તરા : વિવેચન
ખરેખર! “સૂત્ર’–દેરા જેવું છે. સૂત્રને-દેરાને ગજવામાં મૂકી શકાય એ નાને દો ઉકેલી જે વિસ્તારીએ તે ગાઉના ગાઉ સુધી પહોંચે છે; તેમ સ્વલ્પશબ્દપ્રમાણ સંક્ષેપ સૂત્રાત્મક વચનને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર કરીએ તો મહાઈવાળા ગ્રંથના ગ્રંથે. ભરાય એટલે ઉદાર આશય એમાં ભરેલું છે. વળી સૂત્ર-દોરો જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ જિનાગમ પણ આત્મસ્વભાવ-મૂંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. અને સૂત્રને ઘેર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નહિં તે દેર છેડી દેતાં પતંગ તરત નીચે પડી જાય છે, તેમ આ સૂત્રાત્મક જિનાગમને સ્વરૂપાનુસંધાનરૂપ યેગને દેર હાથમાં-લક્ષ્યમાં હોય, તે ગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે-ઊ ઊર્ધ્વ ગભૂમિકાઓ પર્યત ચગાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દેર છેડી દેતાં, સ્વરૂપલક્ષ ચૂકવારૂપ ઉસૂત્ર થતાં, તરત ગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. ઈત્યાદિ પ્રકારે આ “સૂત્ર’ શબ્દને ઘણે પરમાર્થ સમજાય છે.
અને આ ચિત્યવન્દન સૂત્ર પણ આવા પરમાર્થગંભીર અનંત આશયવાળા સૂત્રમય જિનાગમનું અંગ છે, એટલે આ પણ એવું જ પરમ આશય ગંભીર હાઈ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને કણ સમર્થ હોય? તત્વન ગાથાં : નીશ્વર? અર્થાત્ ચતુર્દશપૂર્વધર શ્રુતકેવલી સિવાય એનું સામસ્યથી–સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાનું બીજાનું ગજું નથી. એટલે આ પરમ “લલિત” વિષયની અમે ગમે તેટલી “વિસ્તરા” કરીએ તે પણ એની સંપૂર્ણપણે વ્યાખ્યા કરવાને અમે કેમ સમર્થ થઈએ?
ધરતીકા કાગજ કરું, કલમ કરું વનરાય,
સાત સમુદ્રકી શાહી કરું, પણ પ્રભુ ગુણ લિખા ન જાય.”સંત કબીરજી આમ સંપૂર્ણ વ્યાખ્યાનું અસમર્થપણું છતાં, ગુરુકૃપાથી પ્રાપ્ત પિતાનું આંશિક વ્યાખ્યાનું સમર્થપણું હરિભદ્રજી લધુત્વભાવે નિવેદન કરે છે
यावत्तथापि विज्ञातमर्थजातं मया गुरोः। सकाशादल्पमतिना, तावदेव ब्रवीम्यहम् ॥३॥ તે પણ અપમતિ જ મેં, અર્થ જાત જેટલે જ
જાયે ગુરુની પાસથી, કહું છું હું તેટલે જ ૩. અર્થ –તપણુ જેટલે અર્થાત (અર્થસમૂહ અથવા અર્થ પ્રકાર) ગુરુની પાસેથી હું અલ્પમતિના જાણવામાં આવ્યું છે, તેટલે જ હું કહું છું.
સિT –આમ કન્ઝ વ્યાખ્યા પક્ષમાં અશક્તિ સતે, ઈતર પક્ષ (અકૃતન, અસમસ્ત ) અશ્રણ પણ સફલતાથી કહેવાને ઇચ્છતા સતા બ્લેકઠય કહે છે –
વ7-જેટલું, જે પરિમાણવાળું, તા –તથાપિ, તે પણ, કૃમ્ન વ્યાખ્યાન અશક્તિલક્ષણ જે પ્રકાર તે સતે પણ, વિજ્ઞાર્ત-વિજ્ઞાત, અવબુદ્ધ, મર્થનાત-અર્થાત, અભિધેય પ્રકાર, વા અભિધેય સમૂહ-પ્રક્રમથી ચિત્યવન્દન સૂત્રને. મા-મહારાથી, એ પિતાના નિર્દેશ પર છે. ગુ -ગુરૂની, વ્યાખ્યાતાની, સરદૂ–પાસેથી, સંનિધિ આશ્રીને. કેવાથી? તે માટે કહ્યું–અપતિના-અલ્પમતિથી, ગુરુની મતિઅપેક્ષાએ અલ્પ-તુચ્છ મતિ-બુદ્ધિ છે જેની તે અલ્પમતિ, તેનાથી. તાવતેટલું જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org