SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભુવનલોક જિનેત્તમ મહાવીર કાયોત્સર્ગ-જીવન્મુક્ત દશાએ વિચરતા આ નિષ્કારણકરુણરસસાગર પરમકૃપાળુ દેવ પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષો વર્ષથી જગતજીને પરમ આત્મકલ્યાણને માર્ગ ઉપદેશી રહ્યા હતા. “વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિચાણે રે.... વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે....” શ્રી આનંદઘનજી દેહ છતાં જેની દશા, વ દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત!”– શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી “ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વદ્ધમાન જિન રાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે.”—શ્રી યશોવિજયજી આમ ભુવનકાદિ ગુણનિપન વિશેષણથી ભગવાન મહાવીરના જેવા છે તેવા યથાભૂત અસાધારણ અનન્ય ગુણનું સંકીર્તન કરી ઈષ્ટદેવતાની સ્તુતિરૂપ ભાવસ્તવ કહ્યું. કારણ કે ભગવંતનું આ ઈષ્ટદેવપણું ઉક્ત વિશેષણથી ફલિત થતા અતિશયવંત એવા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દિવ્ય આત્મગુણોના સ્વામીપણાથી છે. એટલે જ આવા ખરેખરા ઈષ્ટદેવરૂપ ભુવનાલેક જિનેત્તમ મહાવીરને પ્રણામ કરી અત્રે શાસ્ત્ર પ્રારંભે આ ભાવસ્તવરૂપ મંગલ કર્યું છે. અને આમ મંગલાચરણ કરીને અત્રે “ચૈત્યવન્દન સૂત્રની આ વ્યાખ્યા કથાય છે” એ પરથી અભિધેય વિષય, સંબંધ ને પ્રોજન એ ત્રણેને સામાન્ય નિર્દેશ કર્યો છે. ચિત્યવન્દન નામના પ્રસિદ્ધ સૂત્રની વ્યાખ્યા કરવી, અર્થ–ભાવ-તત્વ રહસ્ય આદિ સમજાવવા, એ આ લલિતવિસ્તર વૃત્તિને અભિધેય-કહેવાને વિષય છે. સાધ્ય-સાધનરૂપ તે સંબંધ છે,–ત્યવન્દન તે સાધ્ય છે, અને તે કેવી રીતે સમ્યપણે યથાવિધિ તત્ત્વ સમજણ પૂર્વક કરવું જોઈએ તે પ્રદર્શિત કરવાનું આ સાધન છે. - “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય.”_શ્રી આત્મસિદ્ધિ અને પ્રજા તે ચિત્યવદન” એ પદ પરથી જ સૂચિત થાય છે. અત્રે શાસકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રજન, આ ભક્તિપ્રધાન ચૈત્યવન્દન સૂત્રની લલિત પદેથી વ્યાખ્યા વિસ્તારતાં, પદે પદે તેના પરમ સુંદર-લલિત વક્તા-શ્રોતાનું વિષયભૂત ભાવત્યસ્વરૂપ શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંતુ ભગવંતની અનંતર–પરપર તાત્વિક ભક્તિમાં પ્રવર્ધમાન ભાવે લીન થવું, અને અન્ય મુમુક્ષુ પ્રજન ને પણ તેમાં પ્રેરવા,–એ છે. અને આમ માન-પૂજા–કીર્તિ આદિ તુચ્છ કામનાથી રહિતપણે, શુદ્ધ આશયથી, કેવળ શુદ્ધ આત્માર્થે નિર્મળ પરમાર્થ પ્રેમથી કરવામાં આવતી આ સ્વ-પરઉપકારી ભક્તિપ્રવૃત્તિથી મેક્ષના અવધ્ય–અચૂક બીજરૂપ ગબીજ ચિત્તભૂમિમાં રેપી, અનુક્રમે અંકુરાદિ ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy