SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૫૬) વાગડ સમુચ્ચય આશાતનાથી નિબિડ કમ બાંધી અનર્થ ન પામે એમ ઈચ્છતા હેઇ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યો છે, અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણ કરુણાથી કહ્યું છે. માટે તે જીવોએ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે ખેટું લગાડવું નહિં, પણ યોગ્યતા ગ્ય ગુણ પિતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તો પિતાની અગ્યતા દૂર કરવા પ્રયત્ન કરે, અને જેમ બને તેમ આ સતશાસ્ત્રની અપ પણ અવજ્ઞા દૂરથી વર્જવી. એટલે જ આ અમારો કહેવાનો આશય છે. દાખલા તરિકે-જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રષા ન હોય, સાંભળવાની સાચી અંતરછા ન હોય, એના ઉદ્દિષ્ટ વિષય પ્રત્યે રસ ન હોય, તેઓને આ ગ્રંથ દે, શ્રવણ કરાવે તે આ મહાગ્રંથની અવજ્ઞા-અપમાન-આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રષા રહિતને શ્રવણ કરાવવું તે “ભેંસ આગળ ભાગવત” જેવું છે, અને મોતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. “Casting pearls before swine.' માટે શુશ્રષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અગ્ય શ્રોતાઓને આ ગ્રંથ દેવા ગ્ય નથી જ, એ યુક્ત કર્યું છે. અને આ આમ અંગીકાર કર્તવ્ય છે, જેથી કરીને જ કહે છે– योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः। मात्सर्यविरहेणोचैः श्रेयोविनप्रशान्तये ॥ २२८ ॥ યોગ્યને દેવે યત્નથી, વિધિવતે જ સમર્થક માત્સર્ય “વિરહથી અતિ, શ્રેય વિન શાંત્યર્થ. ૨૨૮ અર્થ—અને યોગ્ય શ્રોતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનોએ, સર્વથા માત્સર્યા વિના, શેવિનની પ્રશાંતિને અથે, પ્રયત્નથી દેવો એગ્ય છે. વિવેચન આ ગ્રંથ અોગ્ય શ્રોતાઓને દેવા યોગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્વક કહી બતાવ્યું પણ ચગ્ય શ્રોતાઓને તે માત્સર્ય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા યોગ્ય છે, અને તે પણ શ્રવણાદિ વિષય સંબંધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા નહિં તે વૃત્તિ વોરંતુ-પણ યોગ્ય શ્રોતાઓને તે, કાર-પ્રયત્નથી, ઉપયોગસાર એવા પ્રયત્નથી, તે આ દેવા યોગ્ય છે, વિધિના-વિધિથી, શ્રવણદિ ગોચર વિધિથી, અનિવર્તિ - અન્વિત, યુક્ત એવાઓથી નહિં તે પ્રત્યવાયના સંભવ થકી દે છે, એમ આચાર્યો કહે છે. મારૂત્તિન-માત્સર્ય વિરહથી, માત્સર્ય અભાવથી ક–અત્યંતપણે, એવિદતપરાત-શ્રેય વિધની પ્રશાંતિને અર્થે,-પુણ્ય-અંતરાયની પ્રશાંતિને અર્થે. । समाप्तोऽयं योगदृष्टिसमुच्चयः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy