SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : સતપુરુષના યુગ વિનાની વંચક ક્રિયા ( ૭૩૯ ) આત્મવંચના કરતો હતો, પિતે પિતાને વંચતો હતો, ઠગતો હતો, તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પોતે પિતાને “ધર્મિષ્ઠ માની, વંચક ક્રિયાનું અભિમાન રાખી, પોતાના આત્માને છેતરતો હતા, અને સતફળથી વંચિત રહેતો હતો. તાત્પર્ય કે-સપુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત ક્રિયા અવંચક જ હોય છે, અને તે જ ક્રિયાઅવંચક યોગ છે. આ દિયાવંચક યોગ મહાપાપક્ષયના ઉદયરૂપ છે, અર્થાત એથી કરીને મહાપાપક્ષયને ઉદય થાય છે, મહાપાપને અત્યંત ક્ષય થાય છે. પુરુષની ભક્તિથી નીચ નેત્ર કર્મને ક્ષય થાય છે, કારણ કે ઉચને–ઉત્તમને સેવે તે ઉચ્ચ-ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા પુરુષના સેવનથી નીચ ગોત્રનું નામનિશાન પણ હોતું નથી. ઉત્તમના સંગથી ઉત્તમતા વધે છે. (જુઓ પૃ. ૧૧૨, “ઉત્તમ ગુણ અનુરાગથી” ઈ.) फलावञ्चकयोगस्तु सभ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ॥ २२१ ॥ સંત થકી જ નિયોગથી, ફલ અવાચક યોગ; ધર્મસિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફ્લ યોગ. ૨૨૧ અર્થ—અને ફલાવંચક યોગ તે સંત થકી જ નિગથી સાનુબંધ ફલપ્રાપ્તિ ધર્મસિદ્ધિ વિષયમાં સંતને સંમત છે. વિવેચન અને ફલાવંચક નામનો જે છેલ્લે યુગોત્તમ છે, તે કેવો છે? તો કે-હમણાં જ કહ્યા તે સંતો થકી જ નિયોગથી, જે તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધિ વિષયમાં સાનુબંધ ફલપ્રાપ્તિ તે જ ફલાવંચક યોગ સંતને સંમત છે. જે સત્પષના તથા દર્શનથી–સ્વરૂપઓળખાણથી ચગાવંચકની પ્રાપ્તિ થઈ, તથા ગાવંચકની પ્રાપ્તિ થયે જે પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી ક્રિયાવંચકની પ્રાપ્તિ થઈ, તે જ મહાનુભાવ સપુરુષના મહાપ્રભાવથકી જ ફેલાવંચક ગની પણ પ્રાપ્તિ હોય છે. કારણ કે જે યાગ અવંચક છે, તે ક્રિયા પણ અવંચક હોય છે, અને તેથી પ્રાપ્ત થતું ફલ પણ અવંચક હોય છે,-બાણની પેઠે. (જુઓ પૃ. ૧૫૯). આ દષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવંચક છે. (જુઓ પૃ. ૧૯૧) તૃત્તિ–ઢાવશોરંતુ-ફલાવંચક યોગ તે, ચરમ-છદલે ગોરમ–ઉત્તમ ગ, કેવો છે? તે કે-ર-દ્રો gg-અનંતર કહેલા સાત થકી જ, નિયોજત-નિયોગથી, અવશ્યપણે, સાસુવધBઢાવારસાનુબંધ ફલપ્રપ્તિ,તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, પતિ-ધર્મસિદ્ધિરૂપ વિષયમાં, રતાં મતા-સતેને મત છે, સંમત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy