________________
(૭૪૦)
ગાદિસમુચ્ચય
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે- પુરુષની ઓળખાણ પહેલાંના જીવને જે જે ફળ થતા હતા, તે બધા વંચક હતા–છેતરનારા હતા, કારણ કે સ્વરૂપ લય વિના આ જીવે
જે જે અનંત ક્રિયા કરી, તેના તેના ફળ તો તેને અનેક મળ્યા, પણ વંચક ફળ અનેક તે સંસારપ્રત્યથી હેઈ સંસાર પરિભ્રમણરૂપ હતા. (જુઓ પૃ.
૧૬૧, “એક કહે સાધિયે ” ઈ.) દેવાદિ ગતિરૂપ ઈધર-ઉધર અનેકાનેક ફળ તેને મળ્યા, પણ તે છૂટાછવાયા-વિશૃંખલ હતા, એક સાધ્ય લક્ષ્ય પ્રત્યે જ દેરી જનારા કડીબંધ-શૃંખલાબદ્ધ હતા. અથવા તેથી જે ફળપ્રાપ્તિ થતી હતી, તે સ્વરૂપસિદ્ધિરૂપ એક મોશફળથી વિમુખ દિશામાં હતી, એટલે તે જીવ સ્વરૂપસિદ્ધિથી દૂર ને દૂર રહેતું હતું, અને આમ તે સફળથી વંચિત રહેતો હોવાથી તેને પ્રાપ્ત બધા ફળ
વંચક જ થતા હતા. પણ હવે પુરુષનો અવંચક એગ થયા પછી અવંચક ફળ ક્રિયા પણ અવંચક થયે, તે પરમ કૃપાળુ પુરુષના કૃપાપ્રસાદથકી જ એક સાનુબંધ અવશ્ય અવંચક ફલનો યોગ હોય છે. અર્થાત સાનુબંધ ફલની પ્રાપ્તિ
હોય છે. એક સફળ બીજા સલ્ફળની સાથે જેમાં સંકળાયેલું હોય છે, જેમાં ફળને અનુબંધ ચાલુ રહે છે–ત્રુટી જતો નથી, તે સાનુબંધ ફલપ્રાપ્તિ છે. જેમાં ફલ છૂટું છવાયું–વિશૃંખલ નથી હોતું, પણ અંકોડાબંધ-એકશૃંખલાબદ્ધ હોય છે, તે એક સ્વરૂપલક્ષ્યની દિશામાં દોરી જતું એક મેક્ષપ્રત્યયી ફળ તે સાનુબંધ ફળ છે. આમ એક એકથી ઉત્તરોત્તર ચઢીયાતા પુણ્યાનુબંધિ પુણ્યના અનુબંધથી જીવ સ્વરૂપલક્ષ્યની દિશામાં આગળ ને આગળ પ્રગતિ કરતા જાય છે, તે સ્વરૂપની નિકટ આવતો જાય છે. આ સ્વરૂપ પ્રત્યયી એક શ્રેણરૂપ જે અખંડ ફળપરંપરા તેનું નામ જ સાનુબંધ ફળ અથવા ફલાવંચક છે. (જુઓ પૃ. ૩૯૮, “શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ” ઈ.)
આકૃતિ ૨૧ સાનુબંધ મોક્ષપ્રત્યયી ફલ – – – –– –> મોક્ષ
આ સાનુબંધ ફલપ્રાપ્તિ તથા પ્રકારના સદુપદેશાદિથી હોય છે, કારણ કે સતપુરુષના ચરણસેવનથી–તેમના “પદકજ નિકટ નિવાસ”થી, ઉપાસનથી, “ઉપનિષદ”થી
તેમના શ્રીમુખે સત્વચનામૃત શ્રવણનો પરમ લાભ પ્રાપ્ત થાય છે, અને સદુપદેશને તે તથારૂપ ગ્યતાવાળા તે પાત્ર જીવને પરિણમે છે. એટલે તે સત્પપ્રભાવ રુષના સદુપદેશાનુસાર કરવામાં આવતી એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત
ક્રિયાનું ફળ પણ અવંચક હોય છે. કારણ કે સ્વરૂપસ્થિત આત્મજ્ઞાની વીતરાગ સપુરુષનો ઉપદેશ સદા મુખ્ય એવા સ્વરૂપ સાધ્યને અનુલક્ષીને જ હોય છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ યોગની સિદ્ધિ છે જે પ્રકારે થાય તે તે પ્રકાર આચરવાને તેમને પ્રગટ સઉપદેશ હોય છે. સતસ્વરૂપપ્રાપ્ત સત્પષનો ઉપદેશ સતુ જ હાય, સત સ્વરૂપ જ બધે, એટલે સતસ્વરૂપને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયા પણ વરૂપાનુસંધાનવાળી હોવાથી અવંચક ફલવતી જ હોય છે. (જુઓ પૃ. ૧૬૧, “જીવને જ્ઞાની પુરુષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org