SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૩૮). માસિચય સ્વરૂપ લય ભણું જ હોય, અવંચક-અચૂક જ હોય, આડી અવળી ન હોય, વંચક–ચૂકનારી ન હોય. આમ આ ક્રિયાવંચક પ્રસ્તુત બાણના દષ્ટાંતમાં બાણની અવંચક ગમનક્રિયા બરાબર છે, કારણ કે જે નિશાન પ્રત્યે બાણનો યોગ–અનુસંધાન બરાબર તાકેલ–અવંચક હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ બરાબર અચૂક-અવંચક જ હોય. અને જે નિશાન પ્રત્યે બાણનો ગ–અનુસંધાન બરાબર તાકેલ ન હોય, વંચક–ચૂકી જનાર હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વંચક હોય. તેમ ગ જે અવંચક હોય, તે ક્રિયા પણ અવંચક હોય; અને યોગ જે વંચક હોય તે ક્રિયા પણ વંચક હોય, આ નિયમ છે. એટલે પુરુષના સ્વરૂપદર્શનરૂપ–ઓળખાણરૂપ યોગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હોય છે. તે ઓળખાણ પહેલાની જે ક્રિયા છે, તે વંચક હોય છે–સતફળથી ચકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સતપુરુષના અનંત ક્રિયા કરવામાં કંઈ મણ રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવ ગ વિનાની વામાં કાંઈ બાકી રાખી નથી. (જુઓ પૃ. ૧૬૨) અરે! દ્રવ્ય શ્રમણવંચક ક્રિયા પણાની અનંત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ રૈવેયકમાં પણ અનંત વાર ઉપજ હતો. પણ તથારૂપ ભાવ વિના પરમાર્થથી તે બાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે! કારણ કે જીવનો આ બધો પ્રયાસ ઉલટી દિશામાં-ઉંધી દિશામાં હતો. ઉધી દિશામાં લાખો ગાઉ કાપી નાંખે શું વળે? સાચી દિશામાં એક ડગલું પણ વધે તો લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તો આ જીવે કર્યું હેતું ને તેથી તે રખડ્યો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને સપુરુષનો યોગ થયો નહિં તે છે. પુરુષનો ભેટો તો તેને અનેક વાર થયો હશે, પણ તેણે સપુરુષને તસ્વરૂપે ઓળખ્યા નહિં, એટલે કલ્યાણ થયું નહિં. પુરુષનું સ્વરૂપ ઓળખી તેને જે એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યો હોત, તો તેનો બેડો કયારનો પાર થઈ ગયા હત! કારણ કે “જિનવરવૃષભ વધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર કે નારીને તારે છે’–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જે તેણે આગમરીતે વંદના કરી હતી તે સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત (જુઓ પૃ. ૩, શોપ નમુનો છે.) આમ તેણે પુરુષને ઓથે અનંતવાર વંદનાદિ કર્યું હશે–પણ ઓળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વંચક થઈ પડી, સફળથી ચૂકવનારી–વંચનારી થઈ પડી ! હા, તેથી શુભબંધ થયે-પુ પાર્જન થયું, પણ સંસાર પરિ. સ્વરૂપલક્ષ્ય બ્રમણ અટકયું નહિં; ચતુર્ગતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મોક્ષરૂપ વિનાની એકાંત ફળ મળ્યું નહિં! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા કિયા વંચક કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતો કે હું ધર્મ કરું છું, યોગ સાધું છું, મોક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી બ્રાંત માન્યતાથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy