SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ હાથ સાપને સ્પર્શે છે,આમ એક સમભાવરૂ, કષાય કલુષતા રહિત એવા ક્ષીણમોહ યેગીના આશ્રયે બીજા પ્રાણીઓ પણ મદ રહિત થઈ પોતાના જન્મ વૈર છેડી દીએ છે.” " सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम् , मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, કિરવા સાચ્ચે હતું પ્રશમિતાણુ ચોવિનં શીળમોદ૬ ”– શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં-અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ગીશ્વરની સંનિધિમાં આમ જાતિવૈરનો પણ ત્યાગ હોય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથા પ્રકારને તેવો તેવો મહાપ્રભાવ વર્તે છે, ઈત્યાદિ પાતંજલ આદિ યોગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યું છે, તે સર્વ અત્ર તીર્થકર જેવા પરમાગીના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થયું પ્રતીત થાય છે, તે પરમ ભેગેશ્વરના અચિત્ય મહાપ્રભાવના એક દેશમાં સમાઈ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે,-નહિં કે અન્ય વ્યામોહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ. તેવી ચમત્કારાદિ બતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પાર પાડનારી છે, યોગીને અધ:પતિતભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે – “સમ્યગદષ્ટિ પુરુષ કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે કવચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે તેને તે ફુરણા વિશે પ્રાયે ઈચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે, અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યફવથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિજોગને વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભાવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિગનો લેભ સંભવતો જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સભ્યત્વના સ્થાનક છે, અને જ્યાં સુધી સમગૂ પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જેને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી.”_શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઈછાયમ, પ્રવૃત્તિયમ, સિરિયમને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયામ તે અહિંસાદિ ભેગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માર્ગે સંચરવારૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માગે નિરતિચાર નિર્વિન ગમનરૂપ-અત્યંત સ્થિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy