SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : મુમુક્ષુનું અહિંસાદિ આચરણુ, ઈચ્છાયમનું સ્વરૂપ ( ૭૧૭ ) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ; ઇચ્છા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ, ૨૧૫. અર્થ:–યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમોમાં ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ જ (ઈછા યમ જ) જાણવી. વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણુએ કરીને અવિપરિ. ણામિની એવી જે યમે પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું. અહિંસાદિ યમોને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈચ્છાયમ છે. અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે ! કેવા ઉપકારી છે ! કેવા કલ્યાણકારી છે ! આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તો કેવું સારું! આ અહિંસાદિ પામવાને હું જ્યારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈછા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઈછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરેચ્છા એ સ૬ ગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગપ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજે છે. એ અંતરંગ ભાવરૂપ ઈચ્છા વિના કેઈને પણ આ ગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતું નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હેાય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ડોળઘાલુ તેમાં પ્રવેશનો દાવો કરતા હોય, તો પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતા નથી,-તે તો હારના હાર જ, ગમાર્ગબાહ્ય જ રહે છે; માટે ખરો માર્ગ પ્રવેશ તો ઇચ્છાગ વિના થઈ શક્તો જ નથી. રુચિ–ભાવ વિનાના ભેજનમાં જેમ મીઠાશ આવતી નથી, કોળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારે પડે છે, મેળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે, તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ–ભાવ વિનાના પરમાર્થરૂપ પરમા રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભજનનું દષ્ટાંત સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતરમાં ઠસતું નથી અથવા પરાણે ગળે ઉતારવું પડે છે–મતાગ્રહથી તાણું તેણીને અંતમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મોળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગતને દેખાડારૂપે તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપ ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કોળીઓ હસે હસે એની મેળે ગળે ઉતરે છે–પરાણે ઉતારો પડતો નથી, પેટમાં ટકે છે, મોળ આવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy