SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧૪) ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસંગી હોય, આત્મ દ્રવ્યને પરદ્રવ્યને સંગ ન હોય,–તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સર્વ પ્રદેશમાં પરભાવનો પ્રસંગ ન હોય, અને અશરીરી અગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હાય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રોચપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-જનપણું નહિં હાઈ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,–તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. (૪) અનંત ગુણું પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનું જે કઈ એક ધામ હાય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પરમ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ–પર જીવના રક્ષક એવા તારણ-તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચે આદર્શ શ્રી જિન વીતરાગમાં કષ્ટ થાય છે. –જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચંદ્રજીએ આમ સંગીત કર્યું છે – “ ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાધક ભાવવિહીન.પ્રભુજી! દ્રવ્ય અસંગી અન્યને, શુદ્ધ અહિંસક પીન...બા જિર્ણોદ દયામયી. ક્ષેત્રે સર્વ પ્રદેશ મેં, નહિં પરભાવ પ્રસંગ....પ્રભુજી ! અતનુ અગી ભાવથી, અવગાહના અભંગ..પ્રભુજી! બહુ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય.પ્રભુજી! છેદન જનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય...પ્રભુજી! બાહુબ ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ.પ્રભુજી! નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ.પ્રભુજી ! બાહુ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ....પ્રભુજી ! રક્ષક નિજ પર જીવને, તારણુતરણ જિહાજ પ્રભુજી!”—શ્રી દેવચંદ્રજી. દ્રવ્ય અહિંસા પણ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે,-દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે તેમજ દ્રવ્ય અહિંસા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ બનેને પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. દ્રવ્ય થકી છ કાયને, ન હણે જેહ લગાર....પ્રભુજી! ભાવ દયા પરિણામને, એહી જ છે વ્યવહાર પ્રભુજી ! બાહુ આતમ ગુણ અવિરાધના, ભાવ દયા ભંડાર.પ્રભુજી! ક્ષાયિક ગુણ પયોયમેં, નવિ પર ધર્મ પ્રચાર....પ્રભુજી!”– શ્રી દેવચંદ્રજી. (૨) ભાવથી સત્ય એટલે પરમાર્થથીતથી સત્ય વચન વરવું તે. જે વસ્તુ તત્વથી જેમ છે તેમ જ કહેવી તે સત્ય છે. સ્વને સર્વ કહેવું, પરને પર કહેવું સ્વને પર ન કહેવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy