SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : “બ્રિજ ને પરમાર્થ, દયાળુપણું એમાં જાતિ-વેષનો ભેદ નડતો નથી. ગમે તે જાતિનો યથાયોગ્ય ગુણોગ્યતાવાળો જે ગ્ય અધિકારી પુરુષ તે સંસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કાર જન્મ પામી શકે છે. અને આ સંસ્કારજન્મ પામેલ “દ્વિજ” “બ્રાહ્મણ' પણ કહી શકાય છે. કારણ કે “ત્ર કાનાતીત બ્રાહ્મr:'–બ્રહ્મને, શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગુદષ્ટિ, જ્ઞાનસંસ્કારસંપન્ન પુરુષ, કુલગી, જોગીજન. આવા સમ્યગૃષ્ટિ કુલગી પુરુષ સમાનધમ હોવાથી, સાધર્મિક હોવાથી, આ મુમુક્ષુ કુલોગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય સ્કુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમાર્થ માર્ગની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય-અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પોતાના તન-મનધનથી યથાશક્તિ પ્રબંધ કરે છે, અને એમ કરી પિતાનું વાત્સલ્ય-શ્રેમભાવ દાખવે છે. આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદગુરુ ભગવાન પ્રત્યે, તથા પરોક્ષપણે પરમ ઉપકારી આદર્શ સ્થાનીય હોવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હોવાથી સમ્યગદષ્ટિ દ્વિજ અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણો પ્રત્યે, આ મુમુક્ષુ કુલોગીને અવશ્ય પ્રીતિ હોય છે. ૩. દયાળુપણું. દયાળ –આ કુલગી પુરુષ વળી દયાળુ હોય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડ્યો હોય છે. કેઈ દીન-દુઃખી-દરિદ્ધી દેખી તેમને દયા વછૂટે છે, અનુકંપા ઉપજે છે. તે દુઃખથી દુઃખીને જે કંપ–ત્રાસ થાય છે, તે તેને અનુસરો કંપ–ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતરૂ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુઃખી થાય છે. એટલે પરદુખનું છેદન કરવાની ઈચ્છારૂપ કરુણું તેમને ઉપજે છે, અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુઃખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષ સર્વ જીવનું સુખ જ ઈચછે અને “સર્વ જંતુ હિતકરણ કરુણા જ કરે, એમાં આશ્ચર્ય શું? એટલે તેઓ સૂફમમાં સૂક્ષમ પણ અન્ય જીવોને જાણ બઝીને દુઃખ તો કયાંથી જ આપે? દ્રવ્યથી પણ કોઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કઈ પણ જીવના આત્મપરિણામને દૂભવે જ કેમ? (જુઓ પૃ. ૧૪૯, ૪૩૮, ૪૪૧). આ મુમુક્ષુ યોગીએ આવા દયાળુ, કૃપાળુ, કરુણાળુ હોય છે, તેનું કારણ કિલષ્ટ કર્મનો અભાવ એ છે. કિલાઈ એટલે કઠિન, આકરા, ભારી, કલેશરૂપ કર્મોનો અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠોર-કિલષ્ટ પરિણામથી રહિત એવી કમળ પોચી હોય છે, દયાથી આદ્ર-ભીની હોય છે, અને તેમના આત્મપરિણામ અતિ કોમળ હોય છે, પરદુઃખના તાપથી શીધ્ર ઓગળી જાય ( melting)-દ્રવી જાય એવા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy