SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦૦ ) ગદષ્ટિસમય ૪. વિનીતપણું, વિનીત–વળી આ જોગીજન વિનીત હોય છે. આ જોગી પુરુષો વિનયથી નમ્ર હોય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હેતા નથી. ગિધર્મની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના ‘વિનય” અર્થાત આત્મગુણું પ્રમોદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી, વિનયથી જ વિનઅતિશય રહે ” યની-આત્મવિદ્યાની (Spiritual education)પ્રાપ્તિ હોય છે. એટલે યેગી પુરુષ વિનયનો આ મહાપ્રભાવ જાણતા હોવાથી સ્વભાવથી જ “વિનીત” હોય છે. તેથી પિતાનાથી અધિક ગુણવંતનો તેઓ યથાયોગ્ય વિનય સાચવે છે, અયુત્થાન–ઊઠીને સામા જવું, આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. પુરુષના, સન્દુરુષના વચનામૃતના, અને સસાધનના યથાયોગ્ય વિનય–બહુમાન-ગૌરવાદિ તે કરે છે, અને તેમાંથી કેઈની પણ સ્વપ્નાંતરે પણ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે- એક સતપુરુષની કે એક સતવચનની કે એક સસાધનની આશાતના તે સર્વ સપુરુષની, સર્વ સતવચનની, અને સર્વ સતસાધનની આશાતના છે. (જુઓ લેક ફેટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સર્વની પૂજા છે, કારણ કે તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગર સ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વંદના છે, અને એકની નિંદના તે સર્વની નિંદના છે. આમ જાણતા હોઈ તે ભાવભીરુ યેગી પુરુષે કઈ પણ સની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં કયાંય પિતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓને આત્મા પ્રફુલ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આ તેને “ગુગપ્રદ અતિશય રહે” છે. (જુઓ પધ, પૃ. ૧૯૭-૧૯૮) પણ ગુણ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મહારો આત્મા જે નિજ ભાન વિના અનંત કાળથી આથડે, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા હેતા એ માગ અને અભિમાનને મૂકયું હતું—એ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણે” અભિમાનથી તે હું આટલો કાળ આટલો બધો દુખી થયે; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિં સેવું, તો હજુ પણ મહારે તે ને તે જ ભવદુઃખ સહેવાનો વારો આવશે. અભિમાનથી કદી કોઈનું ક૯યાણ થયું સાંભળ્યું નથી, પણ વિનયમાર્ગના સેવનથી જ સર્વ કેઈનું કલ્યાણ થયું છે, થાય છે, ને થશે. અરે ! શાસ્ત્રમાં તો એટલે સુધી કહ્યું છે કે-જે સદગુરુના ઉપદેશથી પિતાને કેવળજ્ઞાન થયું છે, તે ગુરુ પોતે હજુ છવાસ્થ (જ્ઞાનાવરણ યુક્ત) રહ્યા હેય, તો પણ તે કેવળી ભગવાન પણ તે પરમ ઉપકારી ગુરુને વિનય કરે છે. એ આ વિનયનો માર્ગ શ્રી વીતરાગદેવે ભાખે છે, એ માર્ગનો મૂળ હેતુ કઈ “સુભાગ’–સોભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy