SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૯૪) ગદસિસ્થય હેય છે, તેમના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત વસે છે. આવા સર્વત્ર મૈત્રી ભાવવાળાને કયાંય ઠેષ કયાંથી હોય? “મિત્તિ મે સામૂEણું, ઘેરું મક્યું ળરુ”—શ્રી જિનપ્રવચન કામવા સર્વેમ્પુ”– શ્રી ભગવદ્ ગીતા “સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.” શ્રીમદ્ રાજચંદ્રજી ૨. ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું આ કુલગીનો બીજો ગુણ ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું એ છે. આ આત્માથી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હોય છે–ખૂબ વહાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધર્મને પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્ત જે વિચાર કરીએ તે દરેક પ્રાણુને પિતાનું હિત પ્રિય હોય છે, પિતાનું ભલું થાય એમ સહુ કોઈ ઈચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કઈ હોય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્ધિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હોઈ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે– કઈ માણસ દઘ રોગથી પીડાતા હોઈ મૃત્યુશયામાં પડ્યો હોય, તેને કોઈ સુવેદ્ય સાજે કરે, તો તે જીવિતદાન આપનારો ઉપકારી વૈધ તેને કેટલે બધા હાલે લાગે? તેમ આ કુલગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદગુરુ ભગવાનની અહો! અહો! બાબતમાં પણ છે. કારણ કે-(૧) પિતાનો જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રોગી આત્મબ્રાંતિરૂપ મહારોગથી પીડાતે હતો, અને “ક્ષણ ક્ષણ ભયંકર આદિ દષ્ટાંત ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આ સદગુરુ સુવૈદ્ય સ્વરૂપ–સમજણરૂપ ઓષધિ વડે સાજો કર્યો, આત્મઆરોગ્યસંપન્ન કર્યો, અને સમ્યગદર્શનરૂપ-બધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી નો જન્મ આપ્યો, તે પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્દ ભગવાન તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનંતગણું વહાલા કેમ ન લાગે? જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.”—શ્રી આત્મસિદ્ધિ. અથવા (૨) કઈ રંક ભિખારી ભારી દારિદ્યદુખથી દુઃખી હોય, તેનું દારિદ્વદુઃખ ટાળી કેઈ તેને મહાસુખ સંપત્તિમાન્ બનાવી ઘે, તે તે દારિદ્યુહર પુરુષ તેને કેટલે બધે ઈષ્ટ થઈ પડે? તો પછી,-અનંત આત્મસંપત્તિ ભર્યા નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિં હોવાથી તે પોતાનું ઘર છોડીને પરઘેર ભીખ માગતો ફરતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy