SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની ઇન્દ્રિયોને, પિતાનામાં છુપાયેલી કામનાઓની અને પિતાના જ મન છે એમ માનવાનું છે. સ્ત્રી જાતિ દેષિત નથી, સ્ત્રી માત્રમાં તો સાધક માતાનું સ્વરૂપ જોઈ શકે છે. ખરાબ તત્વ તો આપણા પોતામાં જ રહ્યું છે, એટલે દોષ સાધકે પોતાની જાતમાં જ જોવાનો છે. ધન અને વૈભવ ખરાબ નથી, પણ આપણે ઇન્દ્રિયે અને મન તેને જે રીતે માગે છે, ઉપભેગ કરે છે, તે વસ્તુ ખરાબ છે. એટલે સાધકે, કેઈપણ પદાર્થ પ્રત્યે તિરસ્કાર સેવવાની જરૂર નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાધકે અભિમાનથી દૂર રહેવાનું છે. સાધક પોતાના સ્વભાવમાં થોડે ફેરફાર કરી પિતાની જાતને એમ સમજાવે કે પોતે પિતાની પ્રકૃતિ પર કાબુ મેળવ્યું છે તો તેમાં તે અવશ્ય ઠાકર ખાશે. સાધકે પિતાની ઇન્દ્રિયનાં, પિતામાં રહેલા કષાયેના, અને પિતાના મનના ચોકીદાર બની, પળે પળ તેનાં “સી. આઈ. ડી.” બનવાનું છે. સાધકને જે ઘડીએ એમ લાગે કે તે સંપૂર્ણ છે, અજય છે, તે ઘડીથી જ તેના પતનની શરૂઆત થાય છે, અને તેનો વિનાશ થાય છે. સાધકમાત્ર અપૂર્ણ છે, જો કે તે પૂર્ણ ચગી બનવાને અધિકાર ધરાવે છે તે ખરૂં છે. પરંતુ જીવનના અંત સુધી, મૃત્યુ વખતના છેલામાં છેલ્લા શ્વાસ સુધી, અગર તો જીવત અવસ્થામાં સગીની દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી કઈ પણ સાધક પિતે સંપૂર્ણ છે એમ માનવાની ધૃષ્ટતા ન કરે. આવી ઘેલછાને સાધકના જીવનમાં સ્થાન છે તેથી ભગવાન મહાવીરે શ્રી ગોતમને કહ્યું છે કે “આ જીવિત બહુ ચપલ છે તથા વિદથી ભરપૂર છે, માટે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વિના હે ગૌતમ ! તે પૂર્વે કરેલાં કર્મ ખંખેરી નાખ.” મહાન ભેગીઓનાં, મહાન જ્ઞાનીઓનાં પતન થયાં છે, એને મૂળ કારણે તપાસતાં જણાય છે કે તેઓનાં અભિમાનના કારણે તેમ બન્યું છે. પંજાબી લોકોમાં એક પ્રચલિત કહેવત છે જેનો અર્થ એમ થાય છે કે, રાંધેલી રસોઈ અને જીવન્ત માણસનાં કદી વખાણ ન કરવાં, કારણ કે તે કયારે બગડી જશે એ કહેવાય નહિં. સાધકે આ કહેવતને ધ્યાનમાં રાખી યોગી બનવાનાં પ્રયત્ન કરવામાં જ પોતાનું ધ્યાન રાખવાનું છે, અને સાધક માત્ર એ પણ યાદ રાખવાનું છે કે, કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ અથેનાં પ્રયત્નોમાં જે આનંદ અને શાંતિ છે, તેટલા આનંદ અને શાંતિ તે ધ્યેયની પ્રાપ્તિ પછી મળતાં નથી. સાધકે તો પિતાનું ધ્યેય ઘાતી કર્મોના નાશ માટે રાખવાનું છે, તેથી જરા પણ ઉતરતું નહિ; અને એ ધ્યેયની પ્રાપ્તિ સાથે સાધકનાં રાગ અને દ્વેષને નાશ થયેલ હોય છે, એટલે પછી, તેમાં આનંદ કે શેકને પ્રશ્ન જ વિચારવાને નથી રહેતું. દરેક સાધકે ધ્યાનમાં રાખવાનું છે કે, આપણી અંદર એક એવી મહાન સત્તાનું ૧. “ છૂ મ ચાકg, બીવિશg aggઘવાયા વિદુખાદિ જ પુજા ૬, રવમયં પોયમ મા પમાયg ”–શ્રી, ઉ. સુ. ૨૦-૩ ૨ તેરમું ગુણઠાણું-યોગી કેવલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy