SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ : અસ ગાનુષ્ઠાનના નામ, પર શાંતિ અનત સુધામય જે’ ( ૧૮૫ ) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યાગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયુ છે; કા તેને પ્રશાંતવાહિતા કહે છે, ક્રાઇ વિસભાગપરિક્ષય કહે છે, કાઇ શિવવત્ન કહે છે, કાઇ ધ્રુવમા કહે છે. ( ૧ ) સાંખ્યદર્શની-ચેાગઢનીએ આ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે આળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતાવહુન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ શાંત સુધારસને પ્રશાંત એકધારા પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતત્રાહિતા અસ’ગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારા આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા× છે. ( ૨ ) ખોદ્ધદર્શોની તેને વિસભાગપરિક્ષય ’ કહે છે. જ્યાં વિસસાગના પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આના પરમાર્થ એમ સમજાય છે કે–અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સથા ક્ષય હાય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષના સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિસભાગપરિક્ષય છે. (૩) શૈવા તેને શિવવત્મ-શિવ મા કહે છે. શિવ એટલે પરમ તત્ત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણુ-નિ:શ્રેયસ્; તેને પામવાને મા, તેના પ્રત્યે જતેા માર્ગ તે શિવમ્, શિવમાર્ગ, માક્ષમાČ. અથવા શિવ એટલે શાંતિ; પરમ આત્મશાંતિ પામવાના માર્ગ તે શિવવમ્ . (૪) મહાન્નતિકા તેને જીવાવધ્રુવ સાગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિ, ક્રૂરે નહિ એવું અચલ પદ. જેમ ધ્રુવને તારા કદી કરે નહિ, ચલે નહિ, ધ્રુત્ર જ રહે, તેમ જે કદી ક્રે નહિ', ચલે નહિ, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાના માર્ગ તે ધ્રુવ મા. આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જૈને અસગાનુષ્ઠાન નામે એાળખે છે, તેને જ અન્ય દનીએએ પણ જૂદા જૂદા નામે ગાઇ તેનેા મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પશુ પરભાવ--વિભાવની વાસનાના સ્પ લેશથી રહિત એવુ આ પરમ અસંગ વીતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવા મા પણુ તેવા જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ યાગમાના પરમ રહસ્યરૂપ • ઇચ્છે છે જે જોગીજન ’વાળું પરમ અદ્ભુત અમર કાવ્ય કે જે યાગીશ્વર x" प्रशांतवाहिता वृत्तेः संस्कारात्स्यान्निरोघजात् । પ્રાદુ યંતોમાવો તત્યુસ્થાનળયોયમ્ ॥''—ઢા, દ્વા. ૨૪. ૨૩. અર્થાત્—પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણાથી સદશપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહરૂપ પરિણામિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિધિજન્ય સસ્કારથી હૈય છે. “ તત્ત્વ પ્રરાાંતવાદિતા સંTMkTMાત્ ''-( પા. ૩૦-૧૦).આ રાષ તે શુ? તે કે નિરોધજન્ય અને યુત્થાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ–તિરાભાવ તે નિરાધ છે, ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy