SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ : અસંગાતૃછાન સંન્નિત સતપ્રવૃત્તિ પદ ( પse) “કલ્યાણ સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયે હેવાથી-ક્ષીણપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષયે પશમથી - જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણસ્વરૂપ ઉણ સાચા જ્ઞાનને હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે–ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ ધામરૂપ બેધ સદાય પરમ ક૯યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મોક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વર્તે છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણુ’ સુવર્ણ કરી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણ સ્વરૂપ જ રહે, તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બંધ કદી વિણસે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે, એટલે આ નિર્મલ બેધ સતે અત્રે નિરંતર ધ્યાન વર્તે છે, એ યથાર્થ કહ્યું છે. सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ।। ને સત્મવૃત્તિપદ અહીં, છે અસંગ અનુષ્ઠાન, મહાપથતણું પ્રયાણ કે, આપે પદ નિર્વાણ. ૧૯૫ અર્થ—અને અહીં-તત્વમાર્ગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સતપ્રવૃત્તિપદ વર્તે છે, કે જે મહાપથ-પ્રયાણરૂપ હાઇ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ, પમાડનારૂં છે. વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિ પદ પ્રાપ્ત વત્ત છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત્ અપુનરાવર્ત પદ પમાડના–નિત્ય પદ પમાડનારું છે. અસંગ અનુષ્ઠાન, ઉપરમાં જે સસ્પ્રવૃત્તિ પદ કહ્યું તે શું? તેનું અન્ન સ્વરૂપ કહ્યું છે. અહીં તવ ર-પ્રવૃત્તિપર્વ –અને અહીં એટલે કે તત્વમાર્ગમાં સતપ્રવૃત્તિ ૫૬, શું? તેને અ નુષ્ઠાનશિતર્મુ-અસંગાનુષ્ઠાન સંતિ–સંજ્ઞાવાળું વર્તે છે, તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિને લીધે. માથા -જે અસંગાનુજાન મહાપથ પ્રયાણ છે. અનામિgવાવ-અનાગામિ પદાવહ છે, ( અપુનરાવર્ત પદ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy