SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ. સિદ્ધનું ખાન, આચાર્યાદિનું ધ્યાન (૫૬૧) પરમ ધ્યાન ધરવા ગ્ય છે. કારણકે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટ્યો છે, સર્વ આત્મગુણની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે, નિજ સ્વરૂપના કર્તા- ક્તા થઈ તે તેમાં રમણતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્વપણું તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. “ધર્મ પ્રાગભાવતા, સકલ ગુણ શુદ્ધતા, કત્તા ગ્યતા, રમણ પરિણામતા શુદ્ધ સ્વપ્રદેશતા, તવ ચૈતન્યતા, વ્યાય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવો ભાવીએ!”–શ્રી દેવચંદ્રજી. પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”–શ્રી યશવિજ્યજી. ખાતાં કરી ખતમ કર્મત સમસ્ત, પાયા તિજ અપુનર્ભવ જે પ્રશસ્ત જેણે ચૅર્યા ચઉગતિ રથ ચક્ર ચારે, તે સિદ્ધના ચરણ હું શરણું અમારે !” –શ્રી સિદ્ધસ્તોત્ર (ડે. ભગવાનદાસ વિરચિત) આવા પ્રગટ સહજાન્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણકે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જે તે ધર્મમૂર્તિ ધર્મનાથ પરમાત્માને શુદ્ધ ધર્મ છે, તે જ આ આત્માનો તિણે મનમંદિરે મૂળ સ્વભાવ ધર્મ છે. આમ જે વસ્તુની જાતિ એકતા છે, તે કદી ધર્મા પ્રભુ પલટતી નથી-ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સંગના પરિહારથી યાએ ' તે પરમ આનંદમય પરમાત્મ તત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત હોવાથી અવ્યક્તપણે-શક્તિરૂપેઝ રહ્યું છે. અર્થાત સંસારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્માપણું છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવું જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપીત્ત થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અમૃથફપણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના પ્લાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનમંદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા ગ્ય છે–પરમ ઈષ્ટ છે. x“ मम शतया गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः। एतावानावयोर्भेदः शक्तिव्यक्तिस्वभावतः॥ सोऽहं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ॥" – શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ, ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy