SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતાષ્ટિ : જ્ઞાનીના અનાસક્ત યાગ-ત્રિકાળ વેશવ્ય ( ૧૩૩ ) કાંઇ લેવાદેવા નથી. એટલે એવા નિ:સાર મિથ્યા વિષય@ાગમાં આત્મબુદ્ધિના સમારોપ કરવા મિથ્યા છે-ખાટા છે; તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ-દુરાશાએ દોડવુ તે પણ મિથ્યા છે, કારણુ કે જે વસ્તુ પાતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કોઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિ:સાર-મિથ્યા હાવાથીજ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસગ રહીને, તેની મધ્યેથી તેને ઉલ્લ ંઘીને સાંસરા ચાલ્યા જતાં પણ ડખાતુ નથી. એટલે વિષયાનું આવું મૃગજલ જેવુ મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણું છે, તે અસગ-અનાસકત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતા નથી, પશુ અવશ્ય ભાગ્ય કર્મ ચિત્ આવી પડે તાપણુ તેની મધ્યેથી સાંસરા મેધડકપણે અવિષમ ભાવે પસાર થઇ જાય છે. અત્રે ભેગાને ‘મિથ્યા' કહ્યા છે, તેને અર્થ કાઇ સ્વરૂપાસ્તિત્વ ન હવુ' એવા કરે છે તેમ નથી. પણ અત્રે ‘મિથ્યા' શબ્દના અર્થ સ્વરૂપાસ્તિત્વ હાવા છતાં પર માથી નિઃસાર એવા સ્પષ્ટ કર્યા છે. જેમ મૃગજલમાં કંઇ જલરૂપ જ્ઞાનીના અના સાર નથી, અને તેની પાછળ દોડવાચી કાંઈ વળતુ નથી; તેમ અનાત્મસક્ત ચેાગ સ્વરૂપ ભાગામાં કઈ આત્મતત્ત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુધાવનથી–ઢાડવાથી આત્માનું કાંઇ વળતું નથી. અથવા ‘ મિથ્યા ’ એટલે નહિં હાવાપણારૂપ અસત્આપણું નહિ, પણ ખેાટાપણારૂપ અસતપણું. કારણ કે આત્મતત્ત્વની અપેક્ષાએ પરવસ્તુરૂપ ભાગ અસત્ અર્થાત્ ખોટા છે, વિષયાસરૂપ છે. આત્મતત્ત્વને વસ્તુત: તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિં, છતાં તેવી અતૂ-ખાટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઇષ્ટાનિષ્ટ ભાવથી મહમૂદ્ર આત્મા નિષ્કારણુ મુઝાય છે ને બ ંધાય છે. પણ અમેહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તે। તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઇષ્ટાનિષ્ટ ભાવનાને ત્યાગ કરી મુંઝાતા નથી ને ખંધાતા નથી. આ ઉપરથી તાપ એ છે કે-જે ભાગોને સ્વરૂપથી માયાજલ જેવા નિ:સાર ને ખેાટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કર્માંના-પ્રારબ્ધના ચેાગથી આક્ષિપ્ત-ખેંચાઇને આવી પડેલા ભાગે ભાગવતાં છતાં પણ અસંગ હાઇ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભાગપકની મધ્યે પણ કદી ખરડાતા નથી-લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મેહુમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનુ નામ જ ગીતામાં કહેલેા અનાસત ચેાગ છે. “ ભાગ પક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિહુ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે. ”—સા, ત્ર. ગા. ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસકિત-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરતર ભાવે છે કે-આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy