SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪) યોગદષ્ટિસમુચ્ચય પરવરતુમાં પરમાણુ માત્ર પણ મહારું નથી. હું તો એક શુદ્ધ દશન-જ્ઞાનમય ચિતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું, આ સમસ્ત પરવરતુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મોહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદગલ કર્મબંધથી બંધાયો છું તે આ કર્મયુદ્દગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પિતાનું લેણું લઈ લઈ મને ઝટ ઝણમુક્ત કરે! બાકી “હુંક તે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે હારી નથી ને હું હેનો નથી.’ હું તે હું છું, તે તે તે છે. મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારું છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરૂં છે, માટે આ પરવતુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકારનો હુંકાર તું તોડી નાંખ. “મારું”ને મારું એમ નિશ્ચય કર. આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવરતુના ભાગ મધ્યે રહ્યા છતાં પણ ભેગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની કોટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભેગકર્મને ભોગવી જ્ઞાનીનો ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભગાવલી કર્મના ભેગવટાનું આ જ પરમ રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધોદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહાવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મમાં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભેગકમને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,–ઉલટા તે ભેગાવલી કમ ભેગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુઓ, પૃ. ૨૭૩-૨૭૪). એ જ પ્રકારે એવા કોઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાનવિશેષને પૂર્વ પ્રારબ્ધના વેગથી, ખરેખરા અંત:કરણથી અનિછતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે, તો તે પરમ સમર્થ યોગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે, અને “ધાર તરવારની સેહલી-દેહલી ચોદમા જિન તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગર પણું દાખવી, પોતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થયેગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ થેગીઓ તો કોઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં અત્મિસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકરx“अहमेदं पदमहं अहमेदरसेव होमि मम पदम् । अण्णं जं परदब्बं सञ्चित्ताचित्तमिस्सं वा॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ॥" --- શ્રી સમયસારે ગા ૨૦-૨૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy