SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરષ્ટિ : સ્થિષ્ટિને સાર, કળશ કાવ્ય (૫૧૧) નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ એવા સમ્યગદષ્ટિ પુરુષ વિષયભેગથી વિરામ પામવા જ ઈચ્છે છે. વળી ધર્મથી પણ ઉપજતો ભાગ પ્રાચે અનર્થકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચંદનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધર્મજનિત ભેગ પણું તાપ પમાડતે હોઈ સમષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ–ભેગથી ભેગઈચ્છાવિરતિ માનવી, તે તે એક ખાધેથી ભાર ઉતારી બીજી ખાંધે લાદવા બરાબર છે. તેથી કાંઈ ભાર ઉતરતું નથી, પણ ભારને સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભેગથી ભેગની ઈચ્છા વિરામ પામશે એમ માનવું તે ભ્રાંતિ છે, કારણ કે તેથી તે ઊલટો ભેગેચછાનો ન ન સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભેચ્છાની નિવૃત્તિ થતી નથી.-એમ સમજી સમ્યગદષ્ટિ પુરુષ જેમ બને તેમ ભેગને દૂરથી વજેવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત વિષયમાંથી ઇદ્રિને પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે. વળી યોગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ગાચાર્યોએ કહ્યા છે, તે પણ આ પાંચમી દષ્ટિથી માંડીને પ્રગટે છે (જુઓ પૃ. ૫૦૬). સ્થિરાદષ્ટિનું કેષ્ટક ૧૧ દર્શન યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ ગુણસ્થાન ૨નપ્રભાસમ પ્રત્યાહાર ભ્રાંતિત્યાગ સુમબોધ ૪-૫-૬ નિત્ય અલોલુપતાદિ. -- કળશ કાવ્ય :-- ચોપાઈ દર્શન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇન્દ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યોગી સૂક્ષમ સુધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસંવેદ્ય પદે સ્થિર ભાવ વતી મહું અંધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર-નીર જ્યમ જાણી ભેદ, વપર વસ્તુને કરી વિભેદ યોગી હંસ શુદ્ધ માનસ રમે, પર પરિણતિ આત્માની વમે. ૧૧૪ બાલ ધૂલિગ્રક્રીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી, મગજલ ને સ્વાદિ સમાન, એ ભાવે બાહ્ય સુજાણ. ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy