________________
સ્થિરાદષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણુ
(૫૦૦) (૬) મેત્રી આદિ યુકત ચિત્ત–આગલી દષ્ટિમાં કરેલી યોગસાધનાથી ચિત્ત મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષય પ્રત્યે અચેત-વિષયે પ્રત્યે ચિત્ત
અચેત હોય છે. (૮) પ્રભાવવંતપણું–ગ પ્રભાવથી યોગી પુરુષને બીજું ચિહન કઈ એર પ્રભાવ ઝળકે છે. જેથી સામે માણસ અંજાઈ જાય છે, ને
તેના પર ચમકારની સ્વાભાવિક છાપ પડે છે. યોગી પુરુષને જોતાં જ આ કોઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્યવંતપણુંપરમ આત્મનિર્ભયતાથી યોગી સમ્યગદષ્ટિ પુરુષનું ધૈર્ય અસાધારણ-અલોકિક હોય છે. (૧૦) દ્વન્દ્ર અધ્યત્વ-સુખ દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દોથી યેગીનું અવૃષ્યપણું હોય છે. અર્થાત્ તે તે ઇન્દોથી સમદષ્ટિ પુરુષ ક્ષેભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે કોને ભાર નથી કે યોગી પુરુષને વાળ વાંકે કરી શકે. (૧૧) જનપ્રિયત્વ–આવા સમ્યગદષ્ટિ પુરુષ લોકપ્રિય હોય છે. એમનું દર્શન થતાં લોકોને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ કુરે છે, એવા તે પ્રિયદર્શન હેાય છે.-આ બધા ગના બીજા ચિહ્ન છે.
ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઈષ્ટનો રે ઠંદ્વ અધૃષ્યતા, જનપ્રિયતા હોય નિત્ય-ધન ધન
શ્રી . સ.
૨.
(૧૨) દોષ વ્યપાય–રાગ, દ્વેષ–મહ આદિ દેવ દૂર થાય છે, અથવા અત્યંત મંદ થાય છે, મોળી પડે છે. જેમ જેમ સમ્યગદર્શનની દઢતા થાય છે, તેમ તેમ રાગ
બ્રેષ-મહ એ ત્રિદેષનું જોર ઓછું થતું જાય છે. (૧૩) પરમતૃપ્તિનિષ્પન્ન યોગના આત્માધીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ ચિન તૃતિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આtવાદથી તે એટલા બધા આત્મતૃપ્ત
થઈ ગયેલ હોય છે,–એટલા બધા ધરાઈ ગયેલ હોય છે, કે તેને પછી બાકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય ગ– સમ્યગઠષ્ટિ સર્વત્ર ઔચિત્યથી–ઉચિત પણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા–સમ્યગ્દષ્ટિને સર્વત્ર કેઈ અપુર્વ સમતા વર્તે છે. (૧૬) વૈરાદિ નાશ-સમ્યગ્દષ્ટિને વેર-વિરાધ, કલેશ આદિને નાશ સહજમાં થઈ જાય છે, કારણ કે વેરવિરોધાદિ કરીને કઈ ગાંઠે બાંધવા છે? એમ સમ્યગ્દષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સમ્યગ્દષ્ટિના સન્નિધાનમાં વૈદિને નાશ થાય છે, એ તેમને ઉગ્ર મહાપ્રભાવ વતે છે. યોગી પુરુષોની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પોતાના જાતિવેર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) રડતભર બુદ્ધિ-ત્રદલં વિમર્તતિ સંમત' અર્થાત અત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે ઋતંભરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org