SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ - - - વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીને આભાસ થાય છે, ને તે મૃગતૃણું પાણી પીવાની આશાએ પૂરપાટ દોડ્યો જાય છે ! પણ તે મૃગજલ તે જલ રૈલોક” વસ્તુત: નહિં હોવાથી, ખાલી આભાસમાત્ર હોવાથી, હાથતાલી દઈને આવું ને આવું ભાગતું જાય છે ! ને તે મૃગ બિચારો તેની બેટી ને બેટી આશામાં દોડાદોડીને નાહકનો લોથપોથ થાય છે. અથવા મધ્યાહ્ન રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાછું આભાસ (Mirage) થાય છે, એટલે તરસ્ય થયેલે તે તે મેળવવાની આશાએ દેડે છે, પણ તે પાણી તો હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યા કપનારૂપ છે, સૂર્યકિરણોથી ઉપજતો મિથ્યાભાસરૂપ દશ્યવિભ્રમ (Illusion of vision) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે ! તેમ આ દેહ-ગુહાદિ ભાવો મૃગજળ જેવા છે, તે પોતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી–મિથ્યાભાસથી–અસત્ ક૯૫નાથી પિતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પિતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દેડ’–જેટલું દોડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પિતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે, તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે ! કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહ પર્યાય ધારણ કર્યા, તેમાં કર્યો દેહ આ જીવને ગણ ? જે દેહ પર્યાયને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પિતાને માનવા જાય છે, તે દેહ તે ખલજનની માફક તેને ત્યાગ કરીને–દગો દઈને ચાલ્યો જાય છે! ને આ જીવ મેંઢાની જેમ “મે ” (હારૂં મહારૂ) કરતે હાથ ઘસતો રહે છે! આ હાલામાં હાલ દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેહ હોઈને રહેલી એવી ઘરબાર વગેરે પરિગ્રહરૂપ વળગણું તો તેની કયાંથી થાય? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આમાં રહ્યો છે, તે દેહ પણ જે આ આત્માનો નથી થતું, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તે આ આત્માના કયાંથી બને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવો તત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણ જેવા જ છે, એમ આ સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે. મહાત્મા પુરુષ-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષ લક્ષ સદેવ દેહને વિષે અધિણિત અજર અમર અનંત એ જે દેહ–આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તો અનેક ઘર્યા હોય, ત્યાં કયા દેહને પોતાનો ગણે?” શ્રી મનસુખભાઇ કિરચંદ કૃત શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા, અથવા તે આ દેહ-ગૃહ આદિ ભાવે ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy