SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ થિ : સવપ્રાપ્તિને પામ, દર્શનમોહ ઉપશમ હતાં છતાં તે પરિચછેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંત ક્રોધ, માન, માયા, લેભને આકાર છે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૫, પર૩. વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લધિ સમ્યકત્વપ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key) છે. કારણ કે કર્મના ક્ષપશમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદગુરુના ઉપદેશની પ્રાપ્તિનો જોગ બને, તે પછી તેને અનુક્રમે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તો જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ શિવાય બીજી અભિલાષા હાય નહિં, સંસાર પ્રત્યે ખેદ હેય અને અંતમાં દયા વ, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખર મોક્ષમાર્ગનો “જિજ્ઞાસુ” કહેવાય. આવા વિશુદ્ધિપ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જે સશુરુને બેધ થાય તો તે સમકિત પામે અને અંતરની શોધમાં વત્તે; એટલે પછી સવ-ગુરુ-ધર્મની સમ્યક્ પ્રતીતિરૂપ વ્યવહાર સમકિત, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુબંધ પણે ઉત્તરોત્તર વધતી જતી સમ્યકત્વની કક્ષાએને તે સ્પર્શતા જાય. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર્ દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બેધ; તો પામે સમકિતને, વત્તે અંતર્ શોધ. મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે સદ્ગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વ નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાથે સમકિત. વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ.–શ્રી આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમતિ ઉપદેશ્યાં છે -(૧) આસ પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યું છે. (૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતનો ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલું સમકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમક્તિ ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણે સમતિ વીતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy