SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદ: ઉષાંતિ દેવત્યાગ, સૂક્ષ્મ બાધ પ્રાપ્તિ ( ૫ ). “શ્રદ્ધાશય ચિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામજી. શીતલ૦ ”–શ્રી દેવચંદ્રજી. તે વંદનાદિ કરે છે તો સ્થાન, કાળ ને દમ બરાબર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થમાં ઉપગ રાખે છે, બીજાને સંમોહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે, અને તે વંદનાદિ કરતાં તેના ભાવ-રોમાંચ “શુદ્ધાશય થિર ઉલસે છે, શુભાશય વર્ધમાન થાય છે, ને પ્રણામાદિની સંશુદ્ધિ બરાબર પ્રભુ ઉપયોગ” જળવાય છે. આમ તેની વંદનાદિ ક્રિયા નિરતિચારપણાને લીધે અનઘ નિર્દોષ-નિષા પહેય છે. (જુઓ પૃ. ૨૨૯-૨૨૦). તેમજ આ વંદનપ્રતિક્રમણક્રિક્રિયા સૂક્ષ્મ બેધથી સંયુક્ત એવી હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ જે કોઈ ક્રિયા કરે છે, તે તેની તાત્વિક સમજણપૂર્વક સમ્યફપણે કરે છે, કારણ કે તેને તવનું સમ્યફ સંવેદન હોય છે, એટલે તેને અનુસરીને સર્વ ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સર્વત્ર અત્યંત સુજ્યરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સમ્યગૃષ્ટિનું અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ હોય છે. દાખલા તરિકે-સમ્યગદષ્ટિ પ્રભુભકિત કરે છે તે તાવિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મહારા આત્માનું સ્વરૂપ છે. એટલે મહારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિછંદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હેઈ, મહારે તેનું પરમ પ્રબળ અવલંબન લેવા ગ્ય છે. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુંજ્ય. –શ્રીમદ્ રાજચંદ્રજી. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાચા દેવચંદ્ર સ્તબે મુનિગણે અનુભવ્ય, તત્વભકતે ભવિક સકલ રાચે.”શ્રી દેવચંદ્રજી સૂક્ષ્મ બેધ ગુણની પ્રાપ્તિ અત્રે બેધ નામને પાંચ ગુણ પ્રગટે છે, કારણ કે જેથી દષ્ટિમાં તત્ત્વશ્રવણને ગુણ પ્રગટ્યો, એટલે તેના ફલ પરિપાકરૂપે આ પાંચમી દષ્ટિમાં બધા ગુણ સ્વાભાવિક ક્રમે પ્રગટવો જોઈએ. અને તે બધ પણ અત્રે સૂક્ષમતાવાળો હોય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેદસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે અને આ વેવસંવેદ્યપદમાં જ સૂક્ષમ બધ ઘટે છે, એમ આગળ ચાથી દષ્ટિના વેવસંવેદ્યપદ અધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂક્યું છે, તે પણ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઈએ, તો તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું હતું –સમ્યફપણે હેતુ સ્વરૂપ ને ફલના ભેદે કરીને વિદ્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy