SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩ર ) યોગદષ્ટિસમુકિય આમ આ તર્કવાદ તે બુદ્ધિનો અખાડે છે! અખાડામાં જેમ શરીરનો વ્યાયામ થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તર્કને અટાપટા ખેલાય છે, છલ-જાતિના દાવપેચ રમાય છે. “સાક્ષર વિપરીતા પક્ષના મત!”અખાડામાં જેમ વધારે બળવાન મg અલપ બળવાળા પ્રતિમāને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અ૫ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી “શેરને માથે સવાશેર” એ ન્યાયે તે વિજેતા મલ્લને ૫ણ જેમ વધારે બળવાન મä જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફૂલાતા તે વાદીને પણ બીજો અધિક તર્કપટુ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુરતીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધ છેડો આવતે નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતું નથી ! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કોઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતો નથી. ઉલટું પાડે પાડા લડે તેમાં ઝાડને ખો નીકળી જાય,એ ન્યાયે આ તાર્કિકેની સાઠમારીમાં તવવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે ! તવ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાતમા આનંદઘનજીનું મામિક વચનામૃત છે કે – “તર્ક વિચારે છે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જય. ....પંથડો નિહાળું રે બીજા જિન તણે રે. – શ્રી આનંદધનજી. અમ્યુચ્ચય કહે છે– ज्ञायेरन्हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः । कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥ १४६ ।। પદાર્થો અતીન્દ્રિય જે, હેતુવાદથી જણાત; આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત. ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હોત, તે આટલા કાળે પ્રાથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હત. વૃત્તિ:શાન તુવા-હેતુવાદથી-અનુમાનવાદથી જાણવામાં આવતા હતા, પડ્યા અતીન્દ્રિા -જો સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય પદાર્થો, જૈતાવતા-આટલા કાળે કરીને, ત્રા-પ્રાશોથી, તાકિ કાથી, કૃતઃ સ્થા-કરાય હેત, તેજુ-તે વિષયમાં,-નિશ્ચય -નિશ્ચય, અવગમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy