SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ દીઝાદ્રષ્ટિ : યોગાનળમ્ય અતીબિયઅર્થ અનુમાનઅવિષય (૪૨૯) સર્વજ્ઞાદિ અતીંદ્રિય અર્થ અનુમાન અગોચરત્વ અધિકાર ઉપસંહરતાં કહે છે– निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानाहते न च।। अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किंचन ॥ १४३ ॥ નિશ્ચય અતીન્દ્રિયાર્થ, ન વિજ્ઞાન શિવાય; એથીય અંધ સમાનના, વિવાદથી નહિં કાંય. ૧૪૩ અર્થ-અને અતીન્દ્રિય અર્થને નિશ્ચય ગિજ્ઞાન શિવાય થતું નથી, એથી કરીને પણ અત્રે સર્વાની બાબતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઈ નથી. વિવેચન અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અને નિશ્ચય યોગિજ્ઞાન સિવાય થતી નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અંધ જેવા છવાના વિવાદથી શું ? સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગોચર છે, અને માત્ર ગીઓને ૪ જ્ઞાનગણ્ય થઈ શકે એવા છે. એ સંબંધી યથાર્થ નિશ્ચયની બાબતમાં છવાનો અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્વને નહિં દેખનારા એવા અંધ સમા તે છ અંધ જનો જેવા છે. માટે એ એમના અધિકાર બહારના છઘસ્થાના વિષયમાં–તત્ત્વનિશ્ચય બાબતમાં તેઓને વિવાદ નકામો છે, તેઓની વિવાદથી શું? ચર્ચાની અચો અકિંચિકર છે. કારણ કે જે વસ્તુ આપણે દેખતા નથી– જાણતા નથી, તેના સ્વરૂપ બાબતમાં સ્વછંદે કલ્પના કરી, મિથ્યા ઝઘડો કરવો, નિ:સાર વાગયુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી થંક વાવવું, ખંડનમંડનમાં પડી વમનસ્ય વધારવું, તે મૂર્ખતાની નિશાની છે; ચંદ્રના આકાર વિષે અંધજનોની કલ્પના જેવું હાસ્યાસ્પદ છે; પેલા આંધળાઓ જેમ હાથીના સ્વરૂપ બાબત ખેટ ટ કરતા હતા, તેના જેવું ફેગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને બદલે ઊલટી હાનિ થાય છે. કારણ કે તેથી પિતાના સત્ ચિત્તને નાશ થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્ gત્તિ-નિયોરીનિવાર્થ-સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અર્થનો નિશ્ચય, શોષિાશાનાદ રોગિનાન શિવાય નથી હોતો, કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. તોss-આ કારણ થકી પણ, સત્ર-અ, સર્વન અધિકારમાં, ઘwહાનાં-અંધ જેવાઓના -વિશેષથી તેના તત્વને નહિં દેખનારાઓના, વિજ્ઞાન વિ-વિવાદથી કંઇ નથી,-સચિતનાશરૂપ ફલવાળા વિવાદથી કાંઈ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy