SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાદષ્ટિ અન્વય-વ્યતિરેકરૂપ સ્વાદુવાદી વસ્તુ (૪૧૧) અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અત્રે કયાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુએ તે સર્વની દેશનાને ભેદ પડ્યો હોય એમ સંભવે છે. વળી તે સર્વજ્ઞો કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હેય જ એ નિશ્ચય છે, નહિં તે તેમનું સર્વજ્ઞપણું ઘટે નહિ. કારણ કે અવયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તો તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાતિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત દ્રવ્ય-પર્યાય એ વસ્તુ બને મળીને ભેદભેદ વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “દ્રવ્ય વિના પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,”—એમ અ ન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અન્યોન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે, એકાંત અભેદ માનવામાં આવે, તે તે બનેનું એક્ય-એકપણું થશે, તો પછી દ્રવ્ય-પર્યાય જૂદા માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવર્તસમજણ પણ ચાલ્યા આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જૂદો ખરી તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં ઘટશે નહિં. વળી અન્ય વ્યક્તિ એમાં “અન્ય' એ શબ્દ ભેદ સૂચવે છે, અને “વ્યામિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેને ભેદભેદ માનવામાં આવે તો જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય. તાત્પર્ય કે-અન્વય-વ્યતિરેકની અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદભેદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યાપ્તિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * “ अन्वयो व्यतिरेकश्च द्रव्यपर्यायसंज्ञितौ। अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ॥ नान्योऽन्यव्याप्तिरकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादेक्याच शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यद्भेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः॥ एवं न्यायाविरुद्धेऽस्मिन् विरोधोद्भावनं नृणाम्। व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ॥" ઇત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક . " णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो। दवगणपज्जयत्थो अत्थो अत्थित्तणिवत्तो॥" –શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત પ્રવચનસાર અર્થાત–પરિણામ વિનાનો અર્થ નથી, અને અર્થ વિનાનો પરિણામ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy