SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ દી ખાદ્રષ્ટિ : સંસારી દેવની ભક્તિ ચિત્ર-મુક્તની ભક્તિ અચિવ (૩૬૭) તેવી ગતિ. જે જેને ભજે તે તે થાય. સંસારીને ભજે તે સંસારી થાય, મુક્તને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે. “જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે; મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે...ષદશન ”—-શ્રી આનંદધનજી. આ બેને વિશેષ કહે છે– चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा शमसाराखिलव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર; શમસારા એ ચરમમાં, હાય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ –અને તેમાં પહેલા-તે સંસારી દેવો પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલલા–તે સંસારતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર (અભિન્ન) હોય છે. વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડ્યા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહીં બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે, તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે, અને સંસારી દેવની મેહગપણને લીધે તે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કોઈ હનુમાનને, કે શંકરને, કે વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભકત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઈતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જૂદા જૂદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્રષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાય: અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખોટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે. વૃત્તિ –વિત્ર -અને ચિત્ર, નાના પ્રકારની, પુ-આઘોમાં, સાંસારિક દેવો પ્રત્યે, તાકતવરફતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના ષથી સંયુક્ત એવી હોય છે, –મેહગર્ભપણને લીધે. વિજ્ઞા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રામે -પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્ત્વમાં, -આ ભક્તિ; અને તે, રામવા-શમસાર-શમપ્રધાન, સ્ટિવ હિ અખિલ જ હોય છે, તેવા પ્રકારના સંમેલના અભાવને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy