SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ દીપાદષ્ટિ : સવ સાવાદીના અભેદ સર્વજ્ઞતત્ત્વ અભેદથી, સર્વજ્ઞાવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮ અઃ—તેમ સર્વજ્ઞ તત્ત્વના અભેદથી, સર્વજ્ઞવાદીએ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તત્ત્વગામી જાણવા. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દુષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણા પુરુષાની જેમ, સર્વે ય સર્વજ્ઞયાદીએ તે સર્વજ્ઞતત્ત્વ પ્રત્યે જનારા-ગમન કરનારા છે; કારણકે સર્વજ્ઞ તત્ત્વના ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમસ સવ જ્ઞ- પછી ભલે તે સજ્ઞવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હાય. તાત્પર્ય કે-જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષ હાય, તેએ પેાતપેાતાની ચાગ્યતા અનુસાર નાના મોટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હાય, ઊંચા નીચા હાદ્દા સંભાળતા હાય, પણ તે એકજ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેઓના દાસભાવમાં ભેદ પડતા નથી; તેમ ભગવાન્ સ દેવના આશ્રય કરનારા, સર્વજ્ઞને માનનારા-ભજનારા જૈત કે જૈનેતર બધાય સર્વજ્ઞવાદીએ તે એક સર્વજ્ઞતત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાઈ, સજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સજ્ઞ તત્ત્વને સ્વીકાર કરનારા ભલે જૈન હાય કે બોદ્ધ હાય, શૈવ હાય કે વૈષ્ણવ ડાય, પારસી હાય કે પ્રોસ્તી હાય, અને ભલે તે તપેાતાની ચેગ્યતા પ્રમાણે અધિકારભેદી ભિન્ન ભિન્ન આચારમાં વર્તતે હાય, ઉંચી દશાવાળા હાય કે નીચી દશાવાળા હાય, ઉત્તમ કેાર્ટિના હાય કે અધમ કેટને હાય, ગમે તેમ હાય, પણ તે સર્વેય એકજ આરાધ્ય સર્વજ્ઞને ભજનારા આરાધકે-ભકતા છે, સર્વજ્ઞસેવકા જ છે. એના દાસભાવમાં કઇ જાતના ભેદ નથી, તે ખધાય સર્વજ્ઞ ભગવાનદાસ છે. ( ૩૬૧ ) આ સર્વજ્ઞના સાચા સેવક ભક્ત પણ કેણુ કહેવાય ? તે ઉપર સ્પષ્ટ કર્યું છે, તે અહીં નૃપસેવકના હૃષ્ટાંતથી વિશેષ દૃઢ કર્યું છે. સામાન્ય લેાકવ્યવહારમાં પણ રાજસેવક હાય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઇએ, એવી રીતિ છે, તેા પછી આ તે લેાકેાત્તર દેવ સજ્ઞ મહારાજની આજ્ઞાના પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવુ જોઇએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાફળની આશા પણ ન રાખવી જોઇએ, તે તા જ તે સાચી ભક્તિ કહી શકાય; નહિં તે તેની જો આશા રાખવામાં આવે તે તે ભક્ત નહિં, પણ ભાડુતી કામ જેવુ થયું! ૪૬ સેવક ભકત આજ્ઞા પાલક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy